શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 7 ડિસેમ્બર 2022 (15:07 IST)

MCD Election Result: આમ આદમી પાર્ટીની જીતના 5 મોટા કારણ, અરવિંદ કેજરીવાલે આ રીતે પલટી નાખી BJP ની આખી બાજી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (MCD Election Result) પરિણામો આવી ગયા છે. એમસીડીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. મતલબ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને હવે મેયર પણ AAPનો  જ હશે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા 15 વર્ષની સત્તા ભાજપના હાથમાંથી છીનવાઈ ગઈ છે.
 
હવે સવાલ એ છે કે આમ આદમી પાર્ટી MCD ચૂંટણી કેવી રીતે જીતી? અરવિંદ કેજરીવાલે કઈ વ્યૂહરચનાથી એવો દાવ રમ્યો કે બીજેપીના તમામ આરોપો પણ ફિક્કા પડી ગયા.
 
પહેલા જાણો ચૂંટણીના પરિણામો શું  આવ્યા ?
દિલ્હી એમસીડીમાં કુલ 250 વોર્ડ છે. 4 ડિસેમ્બરે મતદાન થયું હતું. આ વખતે માત્ર 50.47 ટકા લોકો જ મતદાન કરવા આવ્યા હતા. ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો 250 વોર્ડમાંથી આમ આદમી પાર્ટીએ 134 વોર્ડ જીત્યા છે. ભારતીય જનતા પાર્ટીને 103 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. 10 બેઠકો કોંગ્રેસના ખાતામાં ગઈ. ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી જીતી છે. 
વોટ શેરની વાત કરીએ તો MCDમાં આમ આદમી પાર્ટીને 42.20% વોટ મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીને 39.02% વોટ મળ્યા. કોંગ્રેસને 11.68% વોટ મળ્યા. અપક્ષ ઉમેદવારોને 3.42 ટકા લોકોએ મત આપ્યો
 
આમ આદમી પાર્ટીની જીતના પાંચ મોટા કારણો
એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત માટે તેમણે પાંચ મુખ્ય કારણો આપ્યા. તેમણે એ પણ જણાવ્યું કે તમામ પ્રયાસો છતાં ભાજપ આ ચૂંટણીમાં કેવી રીતે પાછળ રહી ગયું.
 
1. 15 વર્ષની એન્ટીઈનકમ્બેસી : ભારતીય જનતા પાર્ટી 15 વર્ષ સુધી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી હતી. ગંદકી અને ભ્રષ્ટાચારને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આમ આદમી પાર્ટીએ પણ કચરાના ઢગલાને મુદ્દો બનાવ્યો હતો. ભાજપ આ આરોપોનો યોગ્ય જવાબ આપી શક્યું નથી. મહાનગરપાલિકાની કામગીરી પ્રત્યે મતદારો પણ ભાજપથી ભારે નારાજ હતા. આની અસર એ થઈ કે તેઓ મત આપવા માટે બહાર ન આવ્યા, જ્યારે કે આમ આદમી પાર્ટી તેનો ફાયદો ઉઠાવવામાં સફળ રહી.
 
2. કેજરીવાલને મફત યોજનાઓનો લાભઃ અરવિંદ કેજરીવાલે સમગ્ર દેશમાં દિલ્હી મોડલનો પ્રચાર શરૂ કર્યો. મફત વીજળીના વચનથી કેજરીવાલને સૌથી વધુ ફાયદો અપાવે છે. વધતી મોંઘવારી વચ્ચે લોકોને મફતમાં વીજળીની સુવિધા મળી રહી છે. આ ઉપરાંત મહિલાઓ માટે મફત બસ મુસાફરી, વૃદ્ધો માટે તીર્થયાત્રાની સુવિધા, ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ  સાથે જ સામાન્ય વર્ગના મતદારોને આમ આદમી પાર્ટી સાથે જોડવામાં આવ્યા હતા.

3. ઉંધો પડી ગયો ભાજપનો દાવ  - ચૂંટણી નજીક આવતા જ ભાજપે કેજરીવાલ સરકાર પર ભ્રષ્ટાચારના તમામ આરોપો લગાવવાનું શરૂ કર્યું. ED અને CBIના દરોડા શરૂ થયા. આમ આદમી પાર્ટીએ તેને મુદ્દો બનાવ્યો. અરવિંદ કેજરીવાલે લોકોને આ સંદેશ આપ્યો કે આ દરોડા ભારતીય જનતા પાર્ટીના ઈશારે જાણી જોઈને કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ કારણે તેમને સહાનુભૂતિ મળી અને ભાજપે તેનું પરિણામ ભોગવવું પડ્યું.
 
4. ધાર્મિક ધૃવિકરણનો પણ મળ્યો ફાયદો  : મુસ્લિમ મતદારો જાણે છે કે વર્તમાન પરિસ્થિતિમાં જો કોઈ ભાજપને ટક્કર આપી શકે છે તો તે આમ આદમી પાર્ટી છે. આવી સ્થિતિમાં મુસ્લિમ મતદારોએ કોંગ્રેસ છોડીને AAPને મજબૂત કરવાનું શરૂ કર્યું. સાથે જ અરવિંદ કેજરીવાલે પણ હિન્દુ મતદારોને જીતવા માટે ધ્રુવીકરણની પદ્ધતિ અપનાવી હતી. કેજરીવાલે વૃદ્ધોને મફતમાં તીર્થયાત્રા કરાવવાની શરૂઆત કરી. લોકોને અયોધ્યા મંદિરમાં દર્શન કરવા લઈ જવા લાગ્યા. આ કારણે AAPએ હિન્દુ મતદારો દિલોમાં પણ સ્થાન બનાવ્યું.
 
5. ભાજપા પાસે યોગ્ય ચેહરાની કમી, દિલ્હીમાં કેજરીવાલ બ્રાંડ  : દિલ્હીના લોકો પણ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની રોજબરોજની લડાઈથી કંટાળી ગયા હતા. સ્વચ્છતાના મુદ્દે પણ બંને વચ્ચે રોજેરોજ આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા હતા. મહાનગર પાલિકાના બજેટને લઈને બંને સામસામે રહેતા હતા. આવી સ્થિતિમાં, દિલ્હીની જનતાએ બંનેની સત્તા એક હાથમાં સોંપવી યોગ્ય લાગ્યુ. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં એક બ્રાન્ડ બની ગયા છે. તેમની યોજનાઓ અને મુદ્દાઓએ લોકો પર ભારે અસર કરી. કેજરીવાલની સરખામણીમાં દિલ્હીમાં ભાજપ અત્યાર સુધી કોઈ મજબૂત ચહેરો ઊભો કરી શક્યુ નથી.
 
આ વખતે દિલ્હી MCD અને ગુજરાતની ચૂંટણી એક જ સમયે યોજાઈ હતી. જેના કારણે આમ આદમી પાર્ટીને પ્રચાર માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન ભાજપ પણ રોજેરોજ આક્રમક રહ્યો હતો. ક્યારેક સત્યેન્દ્ર જૈનનો જેલમાં મસાજનો વીડિયો બહાર આવ્યો તો ક્યારેક VVIP ટ્રીટમેન્ટનો. કેજરીવાલ સરકાર પર ભ્રષ્ટાચારના અનેક આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતની ચૂંટણી છોડીને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. અહીં આવતાની સાથે જ તેમણે એમસીડી ઈલેક્શન પ્રચારનો ચાર્જ સંભાળી લીધો. કેજરીવાલે રોડ શો દ્વારા વાતાવરણ વાતાવરણ ઉભુ કર્યુ.  'કેજરીવાલ કી સરકાર, કેજરીવાલ કા પાર્ષદ' ના નારા આપ્યા અને લોકોની સહાનુભૂતિ જીતી લીધી. જોત જોતામાં ભાજપનો આખો ખેલ ઊંધો પડી ગયો.