શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (12:23 IST)

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, માર્ગ અકસ્માતમાં મોત પર પરિવારને મળશે 2 લાખનું વળતર

દેશમાં રોજબરોજ રોડ અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. કેન્દ્ર સરકારે હવે આવા અકસ્માતો માટે મોટું પગલું ભર્યું છે. આવા 'હિટ એન્ડ રન' કેસમાં, સરકારે પીડિતાના મૃત્યુના કિસ્સામાં તેના સંબંધીઓને આપવામાં આવતા વળતરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકાર 1 એપ્રિલથી આ વળતર વધારશે. સરકારે કહ્યું કે 1 એપ્રિલથી વળતરમાં 8 ગણો વધારો કરવામાં આવશે.
 
2 લાખનું વળતર મળશે
તમને જણાવી દઈએ કે 1 એપ્રિલથી રોડ અકસ્માતમાં પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પર તેમના પરિવારના સભ્યોને બે લાખ રૂપિયા આપવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. આ મુજબ, આવા કિસ્સાઓમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને આપવામાં આવનાર વળતરની રકમ પણ 12,500 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી છે.