1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2023 (15:16 IST)

કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોત અટકતા નથી, હવે તિબિલિસીની માદાનો મૃતદેહ મળ્યો

વધુ એક ચિત્તાનું મોત - મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયું છે. ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પાર્કમાં પ્રથમ વખત નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તા છોડ્યા હતા. આ પછી, વધુ ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા, જેની વિશેષ સંભાળ રાખવામાં આવી રહી હતી. પરંતુ, આ પાર્કમાં 11 મહિનામાં 3 બચ્ચા સહિત 9 ચિત્તાના જુદા જુદા કારણોસર મોત થયા છે.

 
 
તમને જણાવી દઈએ કે ભારતમાં લુપ્ત થઈ ગયેલા ચિત્તાઓના પુનર્વસન માટે સરકાર દ્વારા પહેલ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં તમામ ચિત્તાઓને છોડવામાં આવ્યા હતા. આ પછી માદા ચિત્તાએ 4 બચ્ચાને જન્મ આપ્યો. જેના કારણે અમુક સંખ્યા 24 થઈ ગઈ હતી. પરંતુ તેમાંથી અત્યાર સુધીમાં 3 બચ્ચા અને 6 પુખ્ત ચિત્તાના મોત થયા છે.

Edited By-Monica Sahu