1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 3 મે 2018 (10:16 IST)

એવુ ગામ જ્યા દરેક ઘરની બહાર બની છે કબર...

દરેક ઘરની બહાર બની છે કબર
આજે અમે તમને એક એવા ગામ વિશે બતાવવા જઈ રહ્યા છે જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો. આ એક એવુ ગામ છે જ્યા દરેક ઘર બહાર કબર બનેલી છે.  જી.. હા સાંભળીને તમે પણ કાંપી ઉઠશો.  તસ્વીર જોઈને તમને વિશ્વાસ થઈ જશે. જે પણ આ ગામમાં આવે છે તે એવુ જ વિચારે છે કે શુ તે કબરસ્તાનમાં આવી ગયો છે શુ ?
આંધ્ર પ્રદેશના કુરનૂલ જીલ્લામાં અય્યા કોંડામાં આ ગામ વસેલુ છે.  આ ગામનુ નામ છે ગોનેગંદલ મંડળ. આ ગામ એક પર્વત પર છે. અહી લગભગ 150 પરિવારના લોકો રહે છે. અહીના લોકો પોતાના પરિવાર કે નિકટના સંબંધીના મૃતદેહને ઘરની સામે જ દાટી દે છે.  એવુ એ માટે કરે છે કારણ કે આ ગામની આસપાસ કોઈ પણ કબ્રસ્તાન નથી. 
આ કબરની પાસે જ લોકો રહે છે.  બાળકો આખો દિવસ તેની આસપાસ રમે છે. મહિલાઓ તેને પાર કરીને જ પાણી લેવા જાય છે. અહીના લોકોનુ એવુ કહેવુ છે કે આ કબર તેમના પૂર્વજોની જ છે તેથી તેઓ તેની પૂજા કરે છે. તેના પર પ્રસાદ ચઢાવે છે અને તેમના બધા રીતિ-રીવાજોનું પાલન પણ કરે છે.