સંબંધિત સમાચાર
- Jammu Kashmir Election 2024 - જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કૉન્ફ્રેસ અને કોંગ્રેસ મળીને લડશે ચૂંટણી, ફારુક અબ્દુલ્લાએ કર્યુ ગઠબંધનનુ એલાન
- જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, શ્રીનગર-લેહ હાઈવે બંધ
- જમ્મુ-શ્રીનગરમાં ટેક્સી ઊંડી ખાઈમાં પડી, અકસ્માતમાં 10 લોકોના મોત
- શ્રીનગરના બરાનપથર વિસ્તારમાં બિલ્ડિંગમાં લાગી આગ, એક ફાયરમેન ઘાયલ
- બાગપત કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પદ પરથી હટાવ્યાઃ યુવતી સાથેનો ગંદો વીડિયો વાયરલ થતાં હાઈકમાન્ડે લીધી કાર્યવાહી
શ્રીનગરના રવિવારી બજારમાં ગ્રેનેડ હુમલો, 10 લોકો ઘાયલ, ગઈકાલે પણ આતંકવાદીઓ સાથે સેનાનું એન્કાઉન્ટર થયું હતું
Srinagar sunday market- જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં રવિવારે ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલો મુખ્ય શ્રીનગરમાં TRC ઓફિસ પાસે રવિવાર બજારમાં થયો હતો. રવિવારના બજારમાં ભીડ વિસ્ફોટથી પ્રભાવિત થઈ હતી, જેમાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
એક દિવસ પહેલા જ ખાનયારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો.
પીટીઆઈના જણાવ્યા પ્રમાણે આ હુમલા ભારે સુરક્ષા ધરાવતા ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર(ટીઆરસી) પાસે થયો. આ હુમલો ત્યારે થયો જ્યારે એક દિવસ પહેલાં જ ભારતીય સુરક્ષાદળોએ શ્રીનગર ડાઉનટાઉન ખનયાર વિસ્તારમાં 'લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી'ને મારી નાખ્યો હતો.
આતંકવાદી પ્રવૃત્તિનો સતત બીજો દિવસ
ટોચના પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રેડિયો કાશ્મીર ક્રોસિંગ પાસેના ફ્લાયઓવર પરથી ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો, જે વ્યસ્ત રવિવારના બજારમાં દુકાનદારોની ભીડને અથડાયો હતો. ગ્રેનેડ હુમલામાં ઘાયલ થયેલા 10 લોકોના નામ મિસ્બા, અઝાન કાલુ, હબીબુલ્લા રાધર, અલ્તાફ અહેમદ સીર, ફૈઝલ અહેમદ, ઉર ફારૂક, ફૈઝાન મુશ્તાક, ઝાહિદ, ગુલામ મોહમ્મદ સોફી અને સુમૈયા જાન છે. જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સતત બીજા દિવસે આતંકવાદી ગતિવિધિ જોવા મળી હતી.
