સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે ચૂંટણી એક ધર્મનિરપેક્ષ પ્રક્રિયા છે અને ચૂંટાયેલા ઉમેદવારોનો કાર્યકલાપ પણ ધર્મનિરપેક્ષ હોવો જોઈએ. વ્યક્તિ અને ભગનવાન કે ધર્મ વચ્ચેનો સંબંધ વ્યક્તિગત છે. આ સંબંધમાં સરકાર કે કોઈ પક્ષને હસ્તક્ષેપની મંજૂરી નથી.
સુપ્રીમ કોર્ટમાં ધર્મ અને જાતિના નામ પર વોટની માગણી જન પ્રતિનિધિ કાયદા હેઠળ ભ્રષ્ટાચાર છે કે નહીં તેવા સબબની એક જાહેર હિતની અરજી દાખલ કરાઈ હતી. જેની સુનાવણીમાં જનપ્રતિનિધિ કાયદાની કલમ 123(3) હેઠળ ધર્મ, જાતી, ભાષાના દુરઉપોયગ અંગેની વ્યખ્યાની સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી.