શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 19 જુલાઈ 2021 (10:23 IST)

Monsoon session live: હંગામેદાર રહેશે સેશન ? મોંઘા પેટ્રોલ-ડીઝલના વિરોધમાં સાયકલ પર સંસદ પહોંચ્યા TMC સાંસદ

સંસદનુ માનસૂત્ર સત્ર આજથી શરૂ થઈ રહ્યુ છે. આ સત્રમાં સરકાર અને બીલને પાસ કરવાના એજંડા સાથે સદનમાં આવશે. બીજી બાજુ વિપક્ષે પણ કમર સી લીધી છે અને પૂરી તૈયારી સાથે સદનમાં આવવાના છે. વિપક્ષ કોરોનાની બીજી લહેરનો સામનો કરવા પેટ્રોલ ડીઝલની કિમંતોમાં વૃદ્ધિ અને ખેડૂતોના આંદોલન મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યુ છે. આ દરમિયાન ટીએમસીના સાંસદ ઈંધણની વધતી કિમંતોના વિરોધમાં સાઈકલ પર સાંસદ પહોંચશે. 
 
ખેડૂતોના આંદોલનનો મુદ્દો અગાઉના સત્રમાં પણ છવાયેલો રહ્યો હતો પરંતુ કોઈ સમાધાન નીકળી શક્યુ નહોતુ. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે બેઠક દરમિયાન સાંસદોએ ખૂબ મહત્વના સૂચનો આપ્યા છે. તેમણે ગૃહમાં ફળદાયી ચર્ચા માટે આશા વ્યક્ત કરી. પીએમ મોદીની બેઠક બાદ વિરોધી પક્ષોએ એક અલગ બેઠક યોજી હતી અને સંસદમાં સરકારને ઘેરી લેવાની રણનીતિ બનાવી હતી. સંસદના ચોમાસા સત્રમાં માનવામાં આવે છે કે વિપક્ષ અને સરકાર વચ્ચે જોરદાર હંગામા થવાની શક્યતા છે.  
 
કોરોના રોગચાળા વચ્ચે સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થશે. ચોમાસુ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદના ચોમાસુ સત્રની આગળ, રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ ગૃહના નેતાઓએ રવિવારે સંસદ ભવનમાં બેઠક યોજી હતી. સીપીઆઈના રાજ્યસભાના સાંસદ બિનોય વિશ્વામે પેગાસસ સ્પાયવેરના ખુલાસા પર નિયમ 267 હેઠળ સસ્પેશન ઓફ બિઝનેસ નોટિસ આપી છે.

10:22 AM, 19th Jul
ઈંધણના ભાવનો વિરોધ કરવા માટે આજે સાયકલ દ્વારા સંસદ ભવન પહોંચશે TMC સાંસદ 
પેટ્રોલ-ડીઝલ, એલપીજી અને અન્ય વસ્તુઓની વધતી કિંમતોના વિરોધમાં ટીએમસી સાંસદ આજે સાયકલ દ્વારા સંસદ ભવન પહોંચશે. ટીએમસીના ઘણા સાંસદ સાઉથ એવન્યુથી સાયકલ પર સંસદ તરફ જશે. સાંસદ સવારે 10.30 વાગ્યે વિજય ચોક પહોંચશે અને ત્યારબાદ 10.30 થી 10.40 સુધી ધરણા કરશે

10:15 AM, 19th Jul
- આમ આદમી પાર્ટી (આપ)ના લોકસભા સાંસદ ભગવંત માન સ્થગન પ્રસ્તાવ નોટિસ 
 
આમ આદમી પાર્ટી (આપ)ના લોકસભા સાંસદ ભગવંત માને કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને લઈને સદનમાં સ્થગન પ્રસ્તાવ નોટિસ આપી. 
 

10:11 AM, 19th Jul
- કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કૃષિ કાયદા સંબંધિત સ્થગિત નોટિસ આપી હતી
કોંગ્રેસના લોકસભાના સાંસદ મનીષ તિવારીએ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને લઈને ગૃહમાં એડજર્મેન્ટ સ્થગિત નોટિસ આપી હતી