ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (11:51 IST)

નિર્ભયા કેસ મામલે 17 ડિસેમ્બરે સુનાવણી

દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા નિર્ભયા ગૅંગરેપ મામલે ચાર આરોપીને મોતની સજાનો આદેશ અપાયો છે.
ત્યારે ચાર આરોપીમાંથી એક અક્ષય કુમાર સિંહે પુનઃવિચારની અરજી દાખલ કરેલી છે, જેના પર સુપ્રીમ કોર્ટ 17 ડિસેમ્બરે સુનાવણી કરશે.
 
ત્રણ જજોની બૅન્ચ આ પુનઃવિચાર અરજી પર સુનાવણી કરશે.
 
પોતાની અરજીમાં અક્ષય કુમારે વર્ષ 2017માં અપાયેલા મૃત્યુદંડના નિર્ણય પર કોર્ટ સમક્ષ પુનઃવિચારની માગ કરી છે.
 
આ પહેલાં ગત વર્ષે આ મામલે ત્રણ અન્ય આરોપીઓ મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માની પુનઃવિચારની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
 
કોર્ટે કહ્યું હતું કે આ દોષિતોની મૃત્યુદંડની સજા પર પુનઃવિચાર કરવાનો કોઈ આધાર નથી.