1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (12:54 IST)

ઓમિક્રોનનો કહેર- સતત વધી રહ્યા દર્દીઓની સંખ્યા પછી નવી ગાઈડલાઈન લાગુ- જાણો શું પ્રતિબંધ લાદવામાં આવ્યા

કોરોનાની બીજી લહેર અત્યારે ખત્મ પણ નહી થઈ નહી હતી કે ઓમિક્રોનની દસ્તકએ ભારતના ઘણા ભાગોને તેમની ચપેટમાં લઈ લીધુ છે. ઓમિક્રોનને લઈને કેંદ્ર સરકારએ બધા રાજ્ય સરકારને પત્ર લખીને અલર્ટ કર્યો છે. તેમજ ઘણા રાજ્યોમાં પ્રતિબંધી લગાવ્યા છે. 
 
રાજધાની દિલ્હીમાં નવા નિયમ લાગુ 
રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના વધતા કેસ જોતા દિલ્હી સરકારે ક્રિસમસ અને નવા વર્ષના અવસરે જશ્ન ઉજવવા પર પ્રતિબંધ લગાવ્યુ છે. પણ સરકારે અત્યાર સુધી કોએ સસમારોહમાં શામેલ થવાની લોકોની કેપિસિટી નક્કી નથી કરી છે. પરંતુ તમામ સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, ધાર્મિક, સાંસ્કૃતિક અને તહેવાર સંબંધિત ઉજવણીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે જ સમયે, 50 ટકા ક્ષમતાવાળા રેસ્ટોરાં અને બાર ખોલવાની સૂચના આપવામાં આવી છે. તે જ સમયે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઓમિક્રોનને લઈને સમીક્ષા બેઠક કરી રહ્યા છે.
 
નોઈડા-લખનૌમાં કલમ 144 લાગુ
 
જેથી તમામ સત્તાધીશોને પોતાના સંલગ્ન વિસ્તારોમાં આવા સ્થળોની તપાસ કરીને ઉજવણી ન થાય તે માટે તકેદારી રાખવા સૂચના આપી છે.
 
આ ઉપરાંત બાર અને રૅસ્ટોરાંને પણ અડધી કૅપેસિટી સાથે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
 
જ્યારે સિનેમા, થિયેટર્સ અને મલ્ટિપ્લેક્સ 100 ટકા કૅપેસિટી સાથે અને ઑડિટોરિયમ્સને 50 ટકા કૅપેસિટી સાથે ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.