શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 5 ડિસેમ્બર 2021 (14:14 IST)

સરકાર સાથે વાતચીત માટે સંયુક્ત કિસાન મોરચાએ સમિતિ બનાવી

સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ શનિવારે સિંઘુ બૉર્ડર પરની બેઠક બાદ એક સમિતિ બનાવવાનું એલાન કર્યું છે.
 
ખેડૂતનેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા તરફથી એક સમિતિ બનાવાઈ છે.
 
તેમણે કહ્યું કે આ સમિતિમાં સંયુક્ત કિસાન મોરચાના પાંચ લોકો હશે.
 
ટિકૈતે કહ્યું કે "આ સમિતિમાં બલબિરસિંહ રાજેવાલ, શિવકુમાર કાકા, અશોક ભાવલે, યુદ્ધવીરસિંહ અને ગુરુનામસિંહ ચઢુની સામેલ થશે."
રાકેશ ટિકૈતે એ પણ કહ્યું કે આ સમિતિને તમામ અધિકાર આપવામાં આવ્યા છે અને આ સમિતિ જ સરકાર પાસે જનારા લોકોનાં નામ નક્કી કરશે.
 
તેમણે કહ્યું કે એસકેએમની આગામી બેઠક સાત માર્ચે થશે.