1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 6 જૂન 2023 (12:52 IST)

ટ્રેન દુર્ઘટના: હજુ લાશો શોધી રહ્યા છે લોકો- કોઈનો કોઈ દાવેદાર નથી તો કોઈના ઘણા, DNA Test શરૂ

Tran accident news-ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનના દુર્ઘટનાગ્રસ્ત થવાના 275 પીડિતોમાંથી આશરે 100ની ઓળખ ન થઈ શકી. તેનાથી પરિવારનો દુખ વધુ વધી ગયો છે. પરિજન તેમના લાપતા પ્રિયજનની શોધમાં હોસ્પીટલના શબઘરથી લઈને બહાર ચક્કર કાપી રહ્યા છે. સેકડો ક્ષત-વિક્ષત લાશ છે જે અત્યારે પણ ગુમનામ બનેલી છે. 
 
કેટલાક શરીરના ટુકડા એવા છે જેના પર દાવા કરી રહ્યા છે. રાજ્ય સરકાર આ નક્કી કરવામાં અસમર્થ થઈ ગઈ છે કે લાશ કોને સોંપવામાં આવે. બિહારના ભાગલપુરના બે અલગ-અલગ પરિવારોએ એક જ શરીરનો દાવો કર્યો હતો. મૃતદેહ સડી ગયેલી હાલતને કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી.
 
બંગાળના દક્ષિણ દિનાજપુર જીલ્લાના વાસુદેવ રૉયએ જણાવ્યુ ક તે તેમના ભાઈ અને બહનોઈની શોધમાં જુદા-જુદા હોસ્પીટલના ચક્કર કાપી રહ્યા છે. તે કોરમંડળ એક્સપ્રેસમાં સફર કરી રહ્યા હતા. જેણે જણાવ્યુ કે અમે શબઘરમાં આઠ મૃતદેહો જોયા પણ મારા ભાઈ અને બહેનના પતિ જેવા કોઈ નથી.