મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 ઑક્ટોબર 2020 (07:42 IST)

જમ્મુ-કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓએ ભારતીય જનતા યુવા મોરચાના ત્રણ નેતાઓની ગોળી મારીને હત્યા

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં  ગુરુવારે આતંકવાદીઓએ ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના ત્રણ નેતાઓની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. કુલગામના વાયકે.પોરા ખાતે આતંકવાદીઓએ ફિદા હુસેન ઇટ્ટુ, ઉમર રમઝાન અને હારૂન બેગ પર ગોળીબાર કર્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે ત્રણેયને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
 
પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં સંબંધિત કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.
 
જમ્મુ-કાશ્મીર ભાજપે આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે ફિદા હુસેન ઇટુ ભારતીય જનતા યુવા મોરચાના કુલગામ જિલ્લા મહામંત્રી હતા, જ્યારે ઉમર રશીદ બેગ કુલગામ જિલ્લામાં ભારતીય જનતા યુવા મોરચાના જિલ્લા કારોબારી સભ્ય હતા, જ્યારે ઉમર હનાન પણ ભારતીય જનતા યુવા હતા. મોરચાના જિલ્લા મહામંત્રી હતા.
 
સૂત્રોના જણાવ્યા મુજબ  ભાજપ યુવા મોરચાના મહાસચિવ ફિદા હુસૈન તેના બે સાથીઓ ઉમર રમઝાન અને હારૂન બેગ સાથે ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં વાઈકે પોરા વિસ્તારમાં ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ તેમના ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ હુમલા બાદ આતંકીઓ ફરાર થઈ ગયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ભાજપના નેતાઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન ત્રણેયનું મોત નીપજ્યું હતું.
 
આ અગાઉ પણ ભૂતકાળમાં જમ્મુ કાશ્મીરમાં ભાજપના ઘણા નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. આ વર્ષે જુલાઈમાં આતંકીઓએ બાંદીપોરામાં પૂર્વ જિલ્લા પ્રમુખ વસીમ અહેમદ બારી અને તેના પિતા અને ભાઈની હત્યા કરી હતી. ગયા મહિને ભાજપના નેતા અને સરપંચ સજ્જાદ અહેમદ ખાંડેની કુલગામમાં જ આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.