મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 23 જૂન 2020 (11:03 IST)

જમ્મુ-કાશ્મીર: પુલવામા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, CRPF જવાન પણ શહીદ

ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટર સ્થળ પરથી બે એકે-47 47 મળી આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે
 
મળતી માહિતી મુજબ, ભારતીય સુરક્ષા દળોને ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા હતા કે કેટલાક આતંકવાદી પુલવામાના બંદજૂ ગામમાં છુપાયેલા છે અને કોઈ મોટા કાવતરાને અંજામ આપી શકે છે.
 
ઇન્ટેલિજન્સ જાણકારીના આધારે સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફની સાથે મળી એક સંયુક્ત ટીમ તૈયાર કરી અને બંદજૂ ગામને ઘેરી લીધું. ગામમાં જેવું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો આતંકીઓ એક ઘરમાં છુપાઇને ફાયરિંગ કરવા લાગ્યા.
 
આ પહેલા રવિવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળો સાથેની એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના જુનિમર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમીના આધારે સુરક્ષા દળોએ રવિવારે સવારે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

ઈદ પછીથી ખાડીમાં ઓપરેશન ઝડપી બન્યુ 
 
ઈદ બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આતંકવાદી જૂથોના ઉચ્ચ નેતૃત્વ પર નજર રાખી છે. 25 મેના રોજ કુલગામમાં ઇસ્લામિક રાજ્ય જમ્મુ-કાશ્મીરના કમાન્ડર આદિલ અહમદ વાની અને લશ્કર-એ-તૈયબાના શાહીન અહમદ ટેપની હત્યા કરાઈ હતી. 30 મેના રોજ, કુલગામના વનપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર પરવેઝ અહેમદ અને જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર શાકિર અહેમદની ગોળીબાર કરી હતી.