શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ઑક્ટોબર 2020 (09:09 IST)

રાજકોટ બાદ સુરત અને અમદાવાદમાં પણ શરૂ થશે કોવિડ લાશની એટોપ્સી

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં રાજ્યના વરિષ્ઠ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓએ નિર્ણય કર્યો કે સરકાર દ્વારા સંચાલિત મેડિકલો કોલેજોમાં કોવિડ 19 દર્દીઓની રોગ સંબંધી પોસ્ટમોર્ટમ પરીક્ષા જલદીજ અ અમદાવાદ અને સુરતમાં શરૂ થશે. તેના માટે સરકારી મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમની સુવિધા થવે અનિવાર્ય છે. 
 
આ પગલું આ ફોરેન્સિક વિશેષજ્ઞો માટે મદદગાર સાબિત થશે જે ગત ત્રણૅ મહિનાથી આ પ્રસ્તાવો પર કામ કરી રહ્યા છે. જાણકારી અનુસાર યોજનામાં સૌથી મોટી આવશ્યકતા નકારાત્મક દબાણ અને એર ફિલ્ટર સાથે માન્યા ઓટોપ્સી રૂમની ખોટને પુરી કરી છે. જોકે એક એક્સ-રે મશીન ક્યાં પણ સ્થાપિત કરી શકાય છે. પરંતુ આપણે તેને કરી શકતા નથી કારણ કે કેટલીક વિશિષ્ટતાઓની જરૂર હોય છે. આ પ્રકારે આપણે વાયરસની પ્રકૃતિને જોતાં અમે યોગ્ય માળખાકીય વ્યવસ્થાની માંગ કરી છે. જેમાં સુરક્ષાના ઉપાયો પણ રાખવામાં આવશે. 
 
રાજ્ય સ્વાસ્થ્ય કમિશ્નર પ્રકાશ શિવહરેએ મીડિયાએ જણાવ્યું કોઇવ્ડ 19 દર્દીઓની લાશની એટોપ્સી સૌથી પહેલાં રાજકોટમાં થઇ હતી. આપણે બધાએ બિમારીને સમજવા માટે લાશના પરીક્ષણ પર ભાર મુકીએ છીએ. આ સાથે જ તેના માટે જરૂરી તમામ માનકીકૃત ઉપકરણો અને પરિસરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. કારૅણ કે ડોક્ટરોની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે. શિવહારેએ પુષ્ટિ કરી કે આ પ્રક્રિયા અમદાવાદ અને સુરતમાં પણ શરૂ થશે અને અંતત: રાજ્યભરમાં અન્ય સરકારી મેડિકલ કોલેજોમાં એટોપ્સી કરવામાં આવશે.