1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 23 જૂન 2025 (09:37 IST)

Gram Panchayat Elections- ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં માહોલમાં મતદાન પૂર્ણ થયું, 25મી જૂને આવશે પરિણામ

by polls election 2025
by polls election 2025
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં આજે (22મી જૂન) સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયું. આ દરમિયાન રાજ્યના આશરે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. નોંધનીય છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર થશે. 
 
આમ આદમી પાર્ટીએ વીસાવદર વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીની તારીખો જાહેર થયા પહેલાં જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવી દેતાં આ બેઠકનો ચૂંટણીજંગ રસપ્રદ બન્યો હતો. 
 
વીસાવદર પેટાચૂંટણીમાં 16 ઉમેદવારો મેદાને હતા. જોકે તેમાંથી 12 તો એવા હતા જેઓ વીસાવદર વિધાનસભામાં મતદાતા તરીકે નોંધાયેલા નહોતા. આપે પહેલેથી ગોપાલ ઈટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ત્યાર પછી ભાજપે કિરીટ પટેલ અને કૉંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો.
 
વીસાવદરની બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા સહકારી બૅન્કના પ્રમુખ છે અને થોડા સમય પહેલાં સુધી જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ પણ હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા મૂળે ભાવનગરના વતની છે અને સુરતમાં રહે છે. કૉંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા ભેંસાણના વતની છે, જે વીસાવદર વિધાનસભા બેઠકના વિસ્તારમાં આવે છે.
 
2017માં પણ કિરીટ પટેલ અહીં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ કૉંગ્રેસના હર્ષદ રિબડિયા સામે તેમનો પરાજય થયો હતો.
2022ની વિધાનસભાની ચૂંટણીને બે મહિનાની વાર હતી ત્યારે રિબડિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા. ભાજપે ચૂંટણીમાં ટિકિટ આપી, પણ આપના ભૂપત ભાયાણી સામે રિબડિયા 7063 મતોથી હારી ગયા હતા.
 
ભાયાણી પણ ડિસેમ્બર, 2023માં આપના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી, પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા જેના કારણે આ પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપના દિગ્ગજ નેતા તથા પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ રાજકોટમાં રહેતા, પરંતુ વર્ષ 1995 અને વર્ષ 1998માં તેઓ વીસાવદરની બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા. કેશુભાઈ ત્યાર પછીની બે ચૂંટણી ન લડ્યા.
 
તેથી વીસાવદરની સીટ પરથી ભાજપના કનુભાઈ ભાલાળાનો 2002 અને 2007માં વિજય થયો હતો અને તેઓ રાજ્યના કૃષિમંત્રી પણ બન્યા હતા. વર્ષ 2012માં કેશુભાઈએ ભાજપથી છેડો ફાડીને ગુજરાત પરિવર્તન પાર્ટીની (જીપીપી) સ્થાપના કરી. કેશુભાઈ તેમના રાજકીય જીવનની છેલ્લી ચૂંટણી લડવા માટે વીસાવદર આવ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવારનો મૅન્ડેટ છીનવાઈ જતા ભાજપ અને જીપીપી વચ્ચે ટક્કર થઈ. જીપીપીને માત્ર બે બેઠક મળી, જેમાંથી એક વીસાવદરની હતી.
 
વર્ષ 2014માં જ યોજાયેલી અહીંની પેટાચૂંટણીમાં ભાજપે કેશુભાઈના દીકરા ભરત પટેલને ઉમેદવાર બનાવ્યા જયારે કૉંગ્રેસે હર્ષદ રિબડિયાને ટિકિટ આપી હતી. તે ચૂંટણીમાં રિબડિયાએ ભરત પટેલને હરાવતા કૉંગ્રેસનો વીસાવદરમાં લગભગ ત્રીસ વર્ષ પછી વિજય થયો હતો.
 
આ ઉપરાંત ભાજપે પણ આપમાંથી રાજીનામું આપીને પક્ષમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાને આ વખત વીસાવદરમાં ઉમેદવાર તરીકે ન ઉતારી અને કિરીટ પટેલને મેદાને લાવતાં વધુ એક રસપ્રદ વળાંક જોવા મળ્યો હતો.