સંબંધિત સમાચાર
- ગિરનાર પર વહેલી સવારથી ભારે પવન અને વરસાદી વાતાવરણ સર્જાતા રોપ-વે બંધ રખાયો
- બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 640 કિમી દૂર, ત્રણ દિવસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડશે
- Porbandar News - ગુજરાત ATSની પોરબંદરમાં મોટી કાર્યવાહી, આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ
- બિપરજોય વાવાઝોડું : ગુજરાત પાસેથી પસાર થઈને પાકિસ્તાન પર ત્રાટકશે?
- શક્તિસિંહ ગોહિલને મળી ગુજરાત કોંગ્રેસની કમાન, દીપક બાવરિયાને આ બે રાજ્યોના પ્રભારી બન્યા
ગિરનાર રોપ-વે સેવા બંધ
ગિરનાર પર Cyclone Biparjoy ની અસરના કારણે ખૂબ જ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે. Cyclone Biparjoy ની અસરના કારણે ખૂબ જ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.
વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિને જોતાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કાંઠા વિસ્તારોમાં માછીમારો માટે સલાહ જાહેર કરી છે.
હવામાન વિભાગે જાહેર કરેલ માહિતી પ્રમાણે વિવિધ મૉડલો દ્વારા વાવાઝોડું લગભગ ઉત્તર દિશામાં પાકિસ્તાન-ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મોટા ભાગનાં મૉડલો દ્વારા વાવાઝોડું પાકિસ્તાનના કાંઠા વિસ્તાર તરફ ફંટાશે તેવી આગાહી કરી છે. જોકે, વૈશ્વિક મૉડલ NCUM અનુસાર વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
