1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Gujarat CM Vijay Rupani

આ વર્ષે વિજય રૂપાણી નહી યોજે નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ

નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના (કોવિડ-19) મહામારીની સર્જાયેલી સ્થિતીને ધ્યાને લઇ આગામી તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતનવર્ષ દિન નિમિત્તે પ્રજાજનો-નાગરિકો સાથે શુભેચ્છા આદાન-પ્રદાનનો યોજાનારો નૂતન વર્ષાભિનંદન મિલન સમારંભ આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
 
તદઅનુસાર, મુખ્યમંત્રી દ્વારા દર વર્ષે પ્રજાજનો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાનનો નૂતનવર્ષ દિને યોજાતો પરંપરાગત નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ આ વર્ષે યોજાશે નહિ. સૌ નાગરિક-ભાઇ બહેનોને આ અંગેની નોંધ લેવા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે
ये भी पढ़ें
ચોરોનું સ્માર્ટ વર્ક: 11 મિનિટમાં 668 તોલા સોનું અને 1.79 કરોડ કેશ લૂંટી ગયા, અજમાવી આવી તરકીબ