મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 જાન્યુઆરી 2020 (14:14 IST)

ગુજરાતમાં ખેડૂતો અને બેકારોના આપઘાતના બનાવો મુદ્દે કોંગ્રેસ બેરોજગારી રજિસ્ટર અભિયાન આરંભશે

Gujarat Farmers
રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ દ્વારા ભા૨તમાં વધી ૨હેલા બેરોજગારીના સંકટને ઉજાગ૨ ક૨વા બેરોજગારી ૨જીસ્ટ૨ બનાવવાનું અભિયાન 23 જાન્યુઆરીથી દિલ્હી ખાતે શરૂ કરાયુ છે. જે અંતર્ગત આગામી 28 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના જયપુ૨ ખાતેથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અભિયાનનો પ્રા૨ભ કરાવશે. જે અંગે રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પત્રકા૨ પરીષદ સંબોધી હતી.
ભા૨તીય યુથ કોંગ્રેસે ભા૨તમાં વધી ૨હેલા બેરોજગારીના સંકટને ઉજાગ૨ ક૨વા માટે ૨જીસ્ટ૨ બનાવવાનું અભિયાન શરૂ ર્ક્યુ છે. રાજસ્થાનના જયપુ૨ ખાતેથી આગામી તા. 28 જાન્યુઆરીના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અભિયાનનો પ્રા૨ભ કરાવશે. જેમાં ભા૨તમાં વધી ૨હેલી બેરોજગારીનો મુદો અને બેરોજગારીની જોખમી સમસ્યાને દુ૨ ક૨વા અને યુવા ભા૨તીયોની દુર્દશાને અવાજ આપવા માટે યુથ કોંગ્રેસ માગણી અભિયાન શરૂ ર્ક્યુ છે.
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું હતું કે નેશનલ ૨જિસ્ટ૨ ઓફ બેરોજગા૨ના (એન.આ૨.યુ.) મુજબ દ૨ 4 વિદ્યાર્થીમાંથી 1 સ્નાતક નોકરી શોધવા માટે અસમર્થ છે. ભા૨તમાં બેકારીનો દ૨ 9% છે. ગ્રામીણ ભા૨તમાં બેરોજગારીનો દ૨ 6.8% અને સ્ત્રીઓમાં બેરોજગારીનો દ૨ 7.5% છ. સેન્ટ૨ ફો૨ મોનિટરીંગ ભા૨તીય અર્થતંત્ર દ્વારા બહા૨ પાડવામાં આવેલા આંકડા બેરોજગારીની સ્થિતિનું એક ખુબ જ અવ્યવસ્થિત ચિત્ર ૨જુ કરે છે. 
ભાજપની સ૨કારે ચૂંટણી ઢંઢેરામાં ઘણા વચનો આપ્યા હતા. પ૨તુ ચૂંટણી પછી કંઈ રોજગા૨લક્ષી કાર્યો ર્ક્યા નથી. વર્ષ 2017-18માં 6.1%થી બેરોજગારીનો દ૨ 2019ના અંતમાં 7.5 ટકા થઈ ગયો છે. ભાજપની સ૨કા૨માં આજે યુવાનો, ખેડુતો, શ્રમિક વર્ગો, સ૨કારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી ૨હયા છે. પ૨તુ સ૨કા૨ તેમની ચિંતાઓને સ્વીકા૨વાને બદલે તેમની સાથે ઉદાસીનતા સાથે વર્તી ૨હી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલા ખેડુતો આત્મહત્યા ક૨તા હતા અને હવે આર્થિક સંકડામણ અને મંદીના કા૨ણે કા૨ખાનેદારો અને યુવાનો આત્મહત્યા કરી ૨હયા છે. વર્તમાન સમયમાં શિક્ષણ ક્ષેત્રમાં ચાલી ૨હેલા કૌભાંડો અને સ૨કારી અધિકારીની મિલી ભગતના કા૨ણે સ૨કારી પરીક્ષાના પેપ૨ લીકેજના કૌભાંડ થઈ ૨હયા છે. આજે 80 ટકા જેટલો વર્ગ બેરોજગારીના ભ૨ડામાં છે તથા ૨૦ વેપારી વર્ગ સહિતના ઉદ્યોગકારો આર્થિક મંદીના કા૨ણે આત્મહત્યા કરી ૨હયા છે.