સંબંધિત સમાચાર
- અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનો કોકેઈનનો જથ્થો ઝડપાયો, NCBએ એક ઝામ્બિયન પેડલરની ધરપકડ કરી
- સિદ્ધાર્થ શુક્લા-શહનાઝ ગિલ લગ્નના બંધનમાં બંધાવવાના હતા, ડિસેમ્બરમાં લેવાના હતા 7 ફેરા
- ગણેશોત્સવનો રંગ ફીકો પડ્યો, માટી, ઘાસથી માંડીને મજૂરી મોંઘી બની
- Junagadh News - સતત પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ
- વર્લ્ડ એક્સપોની CM રૂપાણીના દુબઈ પ્રવાસની મંજૂરી PMOમાં અટવાઈ
ગુજરાત વતન પ્રેમ યોજના, ગામડાઓમાં જનહિત કારી સુવિદ્યાઓ માટે અનોખી યોજના
ગુજરાતમાં વતન પ્રેમ યોજનાને લઈને રાજ્યના સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં NRIઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી વિદેશમાં વસતા NRI પોતાના ગામના વિકાસ માટે રકમ આપી શકશે. આ યોજના મુજબ દેશમાં કે દેશ બહાર વિશ્વમાં ક્યાંય પણ વસતા અને ગુજરાતના વતની કોઈ પણ દાતા અથવા જે તે ગામની વ્યક્તિના દાન અને રાજ્ય સરકારના અનુદાનથી ગુજરાતના ગામડાઓમાં વધુ સારી જનહિત કારી સુવિધાઓ ઉભી કરવા દાતાઓ ને પ્રોત્સાહન રાજ્ય સરકાર આપશે.
આ યોજનામાં દાતાઓ પોતાના ગામમાં 60 ટકા કે વધુનું રકમ નું દાન આપીને કામ કરાવી શકશે . આવી રકમ સામે ખૂટતી 40 ટકા રકમનું અનુદાન રાજ્ય સરકાર આપશે. આગામી ડિસેમ્બર 2022 સુધીમાં આ યોજના અંતર્ગત 1000 કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા સુખાકારી ના કામો આવા દાતાઓ અને રાજ્ય સરકાર બેયના સહયોગથી હાથ ધરવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
