સંબંધિત સમાચાર
- લ્યો બોલો! અત્યાર સુધી પીએમને મન ફાવે તેમ બોલ્યા હવે તેમનાથી પ્રભાવિત થઈને અલ્પેશે ભાજપ ભણી
- ભાવનગર પાસે ટેકનિકલ ખામીને કારણે વાયુસેનાના હેલિકોપ્ટરનું ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ
- જમ્મુ કાશ્મીરમાં 370ની તલાક થતાં કચ્છ સરહદ સામે પાકિસ્તાની મરિનની ગતિવિધી વધી
- સુરેન્દ્રનગરના પૂર્વ અધિક કલેક્ટર પાસેથી 6 કરોડની બેનામી સંપત્તિ મળી
- ગુજરાતમાં દ્વારકા બાદ મહેસાણામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો
PM મોદીની 'મન કી બાત' જેમ હવે CM વિજય રૂપાણી પણ કરશે 'મનની મોકળાશ' કાર્યક્રમ
પ્રધાનમંત્રીની 'મન કી બાત'ની માફક મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અલગ અલગ વર્ગના લોકો સાથે ‘મનની મોકળાશ’ અંતર્ગત વાત શરૂ કરશે. અત્યાર સુધી પી.એમની ‘મન કી બાત’ થતી હતી ત્યારે હવે તો ગુજરાતના CM વિજય રૂપાણીની ‘મન ની મોકળાશ’ અંતર્ગત કાર્યક્રમ યોજીને ગુજરાતની જનતા સાથે ચર્ચા કરશે. આ કાર્યક્રમ આગામી 7 ઓગષ્ટથી મુખ્યમંત્રી સાથે મનની મોકળાશ કાર્યક્રમની શરૂઆત થશે. જેમાં સૌ પ્રથમ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમ મુખ્યમંત્રી યોજાશે. આવતી કાલ એટલે કે, 7 ઓગષ્ટે સી.એમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નેતૃત્વને ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગ રૂપે આ એક અલગ પહેલ કારમાં આવી રહી છે.
