Nepal Gen Z protest - નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ વિદેશ મંત્રાલયના સંપર્કમાં
Nepal Gen Z protest- ૩ સપ્ટેમ્બરના રોજ, ભારતના પાડોશી દેશ નેપાળની સરકારે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આના વિરોધમાં યુવાનોનો વિરોધ એટલો હિંસક બન્યો કે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. વિરોધીઓ હિંસક બન્યા અને સંસદ ભવન સુધી પહોંચ્યા. પોલીસ અને વિરોધીઓ વચ્ચે ખૂબ જ હિંસક અથડામણ થઈ. વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ૧૯ લોકોના મોત થયા છે. ૨૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સરકારે પણ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો, પરંતુ વિરોધીઓ રસ્તાઓ છોડવા તૈયાર નથી.
નેપાળમાં બે દિવસના આંદોલનને કારણે ભૈરહવાનું ગૌતમ બુદ્ધ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (TIA) કાઠમાંડુ બંધ થઈ ગયું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોખરામાં લગભગ 800 ભારતીય પ્રવાસીઓ ફસાયેલા છે, જ્યારે કાઠમંડુમાં આ સંખ્યા 2000ની નજીક છે. હોટલ માલિકોએ ભારતીય પ્રવાસીઓની યાદી પણ વહીવટીતંત્રને સોંપી છે, જેથી તેમની સલામતી અને સરહદ સુધી સલામત પહોંચ સુનિશ્ચિત કરી શકાય
જેમાં અમદાવાદના મણિનગર, શાહીબાગ અને રાણીપ વિસ્તારોના 100થી વધુ ગુજરાતી પ્રવાસીઓ ફસાયેલા છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓની સુરક્ષા માટે વહીવટીતંત્ર વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે.