સંબંધિત સમાચાર
- રાજકોટ પોલીસે ગણપતિ બાપાનો વેશ ધારણ કરી હેલ્મેટ પહેરનાર ચાલકોને લાડુ આપ્યા
- હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના પાંચ હજાર સરકારી કર્મચારીઓ ઝડપાયા
- નો હેલ્મેટ, નો એન્ટ્રી' નું બેનર શાળા સંચાલકોને લગાવવા આદેશ અમદાવાદ શહેરના જિલ્લાશિક્ષણાધિકારીએ તમામ શાળા સંચાલકોને આદેશ કર્યો નિયમનું ઉલ્લંઘન થશે તો શાળા સંચાલકો રહેશે જવાબદાર કર્મચારી - વિદ્યાર્થ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર-શો દરમિયાન વાહનોની અવરજવર તથા હોર્ન વગાડવા પર પ્રતિબંધ
- અત્યાર સુધી થરાદમાં 51 ટકા અને અમરાઈવાડીમાં સૌથી ઓછું 25 ટકા મતદાન
લાભ પાંચમથી શરૂ થઈ જશે હેલ્મેટ,પીયૂસીનો અમલ,સરકાર વધુ મુદત નહિ આપે
સામાન્ય માણસની કમર તોડે એવા નવા મોટર વેહિકલ એકટનો રાજ્યમાં 1લી નવેમ્બરથી અમલ શરૂ થઈ જશે.રાજય સરકારે 31 ઓકટોબર સુધી રાજયમાં હેલ્મેટ અને પી.યૂ.સીનો અમલ મોકુફ રાખેલો.જો કે હવે આ કાયદાનો અમલ નવા વર્ષની શરૂઆત તા.1 નવેમ્બર લાભ પાંચમથી અમલ થનાર છે. નવા મોટર વેહિકલ એક્ટ પ્રમાણે આ નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે.ગુજરાતમાં સરકારે લોકોની અગવડતાને ધ્યાનમાં રાખી પહેલા 15 ઓક્ટોબર અને એ પછી 31 ઓક્ટોબર સુધી ટ્રાફિકના નવા નિયમોનો અમલ મોકૂફ રાખ્યો હતો.
જોકે હવે ટ્રાફિકના નવા નિયમો માટે હવે પછી મુદત નહિ વધારવાનો વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ નિર્દેષ કર્યા છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવેલ કે હેલ્મેટ પહેરવી તે લોકોના હિત માટે છે સરકારે પી.યુ.સી. મેળવી લેવા અને હેલ્મેટ ખરીદવા માટે લોકોને પૂરતો સમય આપ્યો છે.ટ્રાફિકના નવા નિયમો માટે 31 ઓકટોબર મુકિતની મુદત પૂરી થઇ રહી છે. હવે મુદત વધારવાની સરકારની કોઇ વિચારણા નથી. તા.1 નવેમ્બરથી સરકાર ટ્રાફિકના તમામ નવા નિયમોનો અમલ કરાવવા માંગે છે.
રાજય સરકારે 16 સપ્ટેમ્બરથી હેલ્મેટ-પીયૂસી અને સિક્યોરિટી નંબર પ્લેટનો ફરજીયાતનો અમલ શરૂ કરેલ.આ નિયમ લાગુ પડતા પી.યૂ.સી. કેન્દ્રો પર લાઇનો લાગી હતી તેમજ હેલ્મેટ ખરીદવા પડાપડી થતા હોબાળો સર્જાયો હતો. લોકોની અગવડતાને ધ્યાને રાખીને સરકારે પહેલા 15 ઓકટોબર સુધી અને પછી 31 ઓકટોબર સુધી હેલ્મેટ, પીયૂસી અને સિક્યોરિટી નંબર પ્લેટમાંથી મુકિત આપી હતી.
જોકે હવે ટ્રાફિકના નવા નિયમો માટે હવે પછી મુદત નહિ વધારવાનો વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ નિર્દેષ કર્યા છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવેલ કે હેલ્મેટ પહેરવી તે લોકોના હિત માટે છે સરકારે પી.યુ.સી. મેળવી લેવા અને હેલ્મેટ ખરીદવા માટે લોકોને પૂરતો સમય આપ્યો છે.ટ્રાફિકના નવા નિયમો માટે 31 ઓકટોબર મુકિતની મુદત પૂરી થઇ રહી છે. હવે મુદત વધારવાની સરકારની કોઇ વિચારણા નથી. તા.1 નવેમ્બરથી સરકાર ટ્રાફિકના તમામ નવા નિયમોનો અમલ કરાવવા માંગે છે.
રાજય સરકારે 16 સપ્ટેમ્બરથી હેલ્મેટ-પીયૂસી અને સિક્યોરિટી નંબર પ્લેટનો ફરજીયાતનો અમલ શરૂ કરેલ.આ નિયમ લાગુ પડતા પી.યૂ.સી. કેન્દ્રો પર લાઇનો લાગી હતી તેમજ હેલ્મેટ ખરીદવા પડાપડી થતા હોબાળો સર્જાયો હતો. લોકોની અગવડતાને ધ્યાને રાખીને સરકારે પહેલા 15 ઓકટોબર સુધી અને પછી 31 ઓકટોબર સુધી હેલ્મેટ, પીયૂસી અને સિક્યોરિટી નંબર પ્લેટમાંથી મુકિત આપી હતી.
