વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૨૧મી માર્ચે વડોદરાના મહેમાન બનશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન-ગુજરાત રિફાઇનરી દ્વારા વધુ સંવર્ધિત અને પર્યાવરણ મિત્ર પરિશુદ્ધ બળતણ બીએસ-૬ની ઉત્પાદન સુવિધા સ્થાપવામાં આવી છે. જાહેરક્ષેત્રની એચપીસીએલ કંપની દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહન માટે નવી પાઇપલાઇનનું આયોજન કરાયું છે. તે ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી...