શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ડિસેમ્બર 2020 (11:01 IST)

ગુજરાતના આ 10 શહેરોમાં શરૂ થશે રો-રો ફેરી સર્વિસ

કેન્દ્ર સરકારે રો-રો ફેરી સેવાના વિસ્તાર માટે કામ શરૂ કરી દીધું છે. સરકારે સૌથી પહેલાં ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સેવા શરૂ કરી હતી. પછી હજીરા-ઘોઘા વચ્ચે એક રો-રો ફેરી શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે આ રો-રો ફેરીને અન્ય જગ્યાએથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં 10 સ્થળો પર રો-રો ફેરી શરૂ કરવા માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. 
 
મળતી માહિતી અનુસાર આ રો-રો ફેરી સેવાને શરૂ કરવા માટે પશ્વિમી તટ સ્થળોની પસંદગી કરવામાં આવશે. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 10 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આ સેવા માટે ચાર આંતરરાષ્ટ્રીય મર્ગોની પણ પસંદગી કરવામાં આવી છે. ફેરી સેવા માટે પસંદગીના સ્થળોમાં હજીરા, ઓખા, મુંદ્રા, સોમનાથ, દીવ, ગોવા, જામનગર, પીપાવાવ, દીવ, દહેજ, માંડવીના નામ છે અને રો-રો સેવા અહીંથી શરૂ કરવામાં આવશે. 
 
એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રો-રો ફેરીના લોન્ચ બાદ આ સ્થળો પર રો-એક્સ ફેરી સેવા પણ તે પ્રકારે શરૂ કરવામાં આવશે. આ સેવાને શરૂ કરવા માટે સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ સમુદ્ર તટો પર જળમાર્ગ બનાવવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે રો-રો ફેરી સેવા શરૂ થવાની સાથે જ બે સ્થળો વચ્ચે અંતર ઓછું કરી શકાશે અને આ સાથે સાથે યાત્રામાં લાગનર સમય અને ઇંધણની બચત થાય છે. ધોધા-દહેજ રો-ર- ફેરી સેવાનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. સેવાના ઉદઘાટન પર લોકોને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આખા દેશને નવા સંકલ્પ સાથે આ ન્યૂ ઇન્ડીયા, ન્યૂ ગુજરાતની દિશામાં અમૂલ્ય ઉપહાર મળી રહ્યા છે. 
 
તમને જણાવી રહ્યા છે તે સમયે તેમણે પ્રોજેક્ટ ફ્ક્ત ભારત માટે નહી, પરંતુ દક્ષિણ એશિયામાં મોટી યોજના ગણાવી હતી. રો-રો ફેરી બાદ રો-પેક્ષ ફેરી શરૂ કરવામાં આવી હતી. જેની શરૂઆત સુરતમાં હજીરાથી 8 નવેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કર્યા બાદ થઇ. ત્યારબાદ ફરી કેન્દ્ર સરકાર દ્વારા 10 અલગ અલગ સ્થળોથી રો રો ફેરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.