1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (13:33 IST)

Gujarat politics: શંકરસિંહ વાઘેલાએ નિતિન પટેલને અર્જુન બનવા અને કૌરવો વિરુદ્ધ ધર્મયુદ્ધ કરવાનો ઈશારો કર્યો ?

અમદાવાદ Gujarat politics: ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ મંત્રીમંડળમાં વિવાદ ઉભો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે 'નો રિપીટ' સિદ્ધાંત અપનાવીને તમામ જૂના મંત્રીઓને હટાવી દેવામાં આવ્યા છે. તમામ નવા મંત્રીઓને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સમાવવામાં આવશે અને તેમનો શપથગ્રહણ સમારોહ બપોરે 1.30 કલાકે યોજાશે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક રસપ્રદ ટ્વિટ દ્વારા નિશાન સાધ્યું છે. 
 
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અર્જુનને હાલની રાજકીય પરિસ્થિતિમાં ખચકાટ વિના લડવા હાકલ કરી છે. નીતિન પટેલને "અર્જુન" કહીને, વાઘેલાએ પોતાની તૈયારીને શ્રેષ્ઠ રીતે દર્શાવવાનો સંકેત આપ્યો છે. જે બાદ રાજકીય વર્તુળોમાં આવી ચર્ચા ચાલી રહી છે.

 
વાઘેલાએ ટ્વીટ કર્યું કે આજનું રાજકારણ મહાભારતથી ઓછું નથી. પોતાના પરિવારના કૌરવો સામે જ લડવું પડે છે જ્યારે સિદ્ધાંતો અને સ્વાભિમાન પર હુમલો થાય, તે જ સાચો ધર્મ અને કર્મ છે. આ ધર્મયુદ્ધ માત્ર સ્વાભિમાની રક્ષા માટે જ નહીં પણ સમગ્ર પ્રદેશના કલ્યાણ માટે છે. જ્યારે પણ આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે અર્જુને ખચકાટ વગર લડવું જોઈએ.