1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Sushma swaraj deahth vijay rupani cancel all programs

ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજના નિધન બાદ ગુજરાતમાં રૂપાણી સરકારની ઉજવણીના તમામ કાર્યક્રમ રદ

Sushma swaraj death
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સફળ ત્રણ વર્ષની ઉજવણી કરવા ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પરંતુ પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનના પગલે ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત સરકારે મોડીરાત્રે કરી હતી.
પુર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનના કારણે ગુજરાત રાજય સરકારે રૂપાણી સરકારના ત્રણ વર્ષની સફળ કામગીરી સંદર્ભે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. મહાત્મા મંદિરે સંકલ્પ સે સિદ્ધિ કી ઓર ઉપરાંત મુખ્યમંત્રી નિવાસસ્થાને મતની મોકળાશ કાર્યક્રમની ઉજવણી રદ કરવામાં આવી છે.
દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે ત્રણ વર્ષની સફળ કામગીરીની ઉજવણીના તમામ કાર્યક્રમો મોડીરાત્રે રદ દીધાની તમામ સરકારી ખાતાને જાણ કરી હતી. જીલ્લા મથકોએ પણ આવી ઉજવણીના કેટલાક કાર્યક્રમો યોજાવાના હતા તે પણ રદ કરી દેવામાં આવ્યા છે.
ये भी पढ़ें
વધુ વિદેશી પર્યટકોને આકર્ષવા સોમનાથ, ધોળાવીરા સહીત 17 સાઈટ વર્લ્ડ-કલાસ થશે