શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 11 સપ્ટેમ્બર 2024 (11:14 IST)

ગુજરાતના ભરૂચમાં ધાર્મિક ધ્વજ લગાવવા મુદ્દે તણાવ, બે જૂથો સામસામે આવી ગયા, પથ્થરમારો

ગુજરાતના ભરૂચમાં ગઈ રાત્રે ધાર્મિક ઝંડાને લઈને બે સમૂહ વચ્ચે તણાવનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન બંને તરફથી પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
 
કહેવામાં આવી રહ્યું છે કે એક તરફ ગણેશ મહોત્સવ અને બીજી તરફ ઈસ્લામિક ધાર્મિક ધ્વજ લહેરાવાના કારણે વિવાદ શરૂ થયો હતો. જો કે હાલ સ્થિતિ કાબુમાં છે.
 
ડીએસપી ભરૂચ મયુર ચાવડાના જણાવ્યા મુજબ ગત રાત્રે 10.30 વાગ્યાના સુમારે બે કોમના લોકો સામસામે આવી ગયા હોવાની પોલીસને બાતમી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઝંડા લગાવવાને લઈને હોબાળો થયો હતો. પોલીસે આવીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. હાલ તેની તપાસ ચાલી રહી છે.
 
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આપને જણાવી દઈએ કે હાલમાં જ સુરતના લાલગેટ વિસ્તારના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક મોટી ઘટના સામે આવી છે. અહીંના ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારબાદ સેંકડો લોકો સૈયદપુરા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ કરવા માટે એકઠા થયા હતા.