શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષિકા ભાવસાર|
Last Updated : શુક્રવાર, 4 નવેમ્બર 2022 (09:21 IST)

આજે કેજરીવાલ જાહેર કરશે ગુજરાતમાં AAPનો મુખ્યમંત્રી પદનો ચહેરો

kejriwal
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી આવતીકાલે પોતાના મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરશે. ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલ શુક્રવારે સવારે પાર્ટીના ચહેરાની જાહેરાત કરશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે 29 ઓક્ટોબરે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને પૂછ્યું કે તેઓ કોને સીએમ તરીકે જોવા માંગે છે. તેમણે જનતાનો અભિપ્રાય જાણવા માટે એક નંબર પણ જારી કર્યો હતો, જેના પર લોકો 3 નવેમ્બરની સાંજ એટલે કે ગુરુવાર સુધી કોલ અને વોટ્સએપ દ્વારા પોતાનો અભિપ્રાય આપી શકે છે. 



 દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ તેના પરિણામો 4 નવેમ્બરે જાહેર કરશે. આ દરમિયાન તે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. લોકોના અભિપ્રાય જાણવા માટે ઈ-મેલ આઈડી પણ જારી કરવામાં આવ્યું હતું.  આ દરમિયાન અરવિંદ કેજરીવાલે મોંઘવારી અને બેરોજગારીને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતના યુવાનો બેરોજગારીથી પરેશાન છે. ભાજપ પર કટાક્ષ કરતા કેજરીવાલે કહ્યું કે તેમણે ઘણા મુખ્યમંત્રીઓને બદલ્યા છે. પ્રથમ વિજય રૂપાણી હતા. વિજય રૂપાણીને હટાવ્યા ત્યારે પણ પ્રજાને પૂછ્યું નહીં અને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા ત્યારે પણ પ્રજાને પૂછ્યું નહીં. પરંતુ આમ આદમી પાર્ટી જનતાને પૂછીને નિર્ણય કરે છે કે શું તમારે મુખ્યમંત્રી કોને બનાવવા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પાટીદાર આંદોલન, ખેડૂતોના આંદોલન, દલિત આંદોલન અને તમામ આંદોલન દરમિયાન જે પણ કેસ નોંધાયા છે તે તમામ કેસ અમે પાછા લઈશું. પાટીદાર આંદોલન સાથે જોડાયેલા લોકો અમને મળી રહ્યા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના નિવેદન પર કેજરીવાલે કહ્યું કે તમે તેમને પૂછો કે તમારા કેટલા ઉમેદવારો ટિકિટ લઈને વેચાયા? કેજરીવાલને ગાળો આપીને ગુજરાતની જનતાને ફાયદો થશે? તેમની પાસે ગુજરાત માટે કોઈ એજન્ડા છે?