Astrology Zodiac Virgo Hlt.htm

Notifications

કન્યા કન્યા
સ્‍વાસ્‍થ્ય

કન્‍યા રાશીની વ્‍યક્તિનું શરીર સ્‍થૂળ હોય છે. તેમને અનિયમિત ભોજનથી તેમને પેટને લગતા રોગ થાય છે. ચામડી, કાન, ગળું, નાક, પેટનો વિકાર, મંદાગ્નિ, દાદ, રક્તપિત, પક્ષઘાત, પીઠનું દર્દ વિશેષ થાય છે. સ્‍ત્રીઓના વાળ કાળા હોય છે અને જલ્‍દીથી ટૂટી પણ જાય છે. તેમને માથાના દુખાવાથી આંખ નબળી પડી જાય છે. યાદ શક્તિ ઘટી જાય છે. માનસિક થાકની ખરાબ અસરથી દમ, મોતિયો, લોહીનું દબાણ, ઉધરસ, પેટનો વિકાર વગેરે માંથી એક અવશ્ય હોય છે. તેમણે માનસિક શ્રમની જગ્યાએ શારીરિક શ્રમને વધારે મહત્‍વ આપવું જોઇએ. સંતુલિત ભોજન, ‍વ્‍યાયામ પર ધ્‍યાન આપવું જરૂરી છે. ધુમ્રપાન અને માંસાહારથી બચવું જરૂરી છે અને ફળોનો રસ, તાજી શાકભાજી અને દહીંનો ખોરાકમાં વધુ ઉપયોગ કરવો જરૂરી છે.