મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (07:50 IST)

સામાન્ય મીઠુંને કહો No, સિંધાલૂણને Yes, જાણો આરોગ્યના 7 અચૂક ફાયદા

વધારે મીઠું ખાવું આરોગ્ય માટે નુકશાનદાયક છે પણ આ મીઠું થઈ છે તમારા માટે ફાયદાકારી. જી હા આયુર્વેદ મુજબ સિંધાલૂણ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારી છે. તેથી તેને સર્વોત્તમ મીઠું કહેવાય છે, જાણો તેના 7 સરસ ફાયદા.. 
સિંધાલૂણમાં આશરે 65 પ્રકારના ખનિજ તત્વ હોય છે, જે ઘણા રોગોથી બચવામાં મદદગાર હોય છે. તેમજ તેનો એક સરસ ફાયદા આ છે કે પાચન માટે ફાયદાકારી છે. કારણ કે આ પાચક રસોના નિર્માણ કરે છે, તેથી કબ્જ પણ દૂર કરવામાં સહાયક છે. 
 
1. બ્લડ પ્રેશર- જ્યારે બીપી ઓછું હોય ત્યારે આપણે લીંબુ પાણી અને મીઠાનું દ્રાવણ પીએ છીએ. પરંતુ આ સાદું મીઠું તમારા શરીરને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યું છે. આ જગ્યાએ સિંધાલૂણનો ઉપયોગ કરો. તેનાથી તમારું બીપી કંટ્રોલમાં રહેશે, હૃદયની કોઈ સમસ્યા રહેશે નહીં અને કોલેસ્ટ્રોલની સમસ્યા વધશે નહીં.
 
2. સ્ટ્રેસ લેવલ- તમારા તણાવનું સ્તર ઘટાડશે. તેમાં હાજર તત્વ રસાયણો સેરોટોનિન અને મેલાટોનિનને સંતુલિત કરે છે. જે તમને ખાસ કરીને ડિપ્રેશન જેવી સમસ્યા સામે લડવામાં મદદ કરશે.
 
3. આ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં સહાયક છે, જેનાથી હાર્ટ અટેકની શકયતાને પણ ઓછું કરે છે. તે સિવાય હાઈ બ્લ્ડપ્રેશરને કંટ્રોલ કરવામાં પણ સિંધાલૂણ ફાયદાકારી હોય છે. 
 
4. માંસપેશીઓમાં દુખાવા અને એંઠન હોય, કે પછી હાડકાઓથી સંકળાયેલી કોઈ સમસ્યા, સિંધાલૂણનો સેવન કરવાથી તમારી આ સમસ્યા ધીમે-ધીમે પૂરી રીતે સમાપ્ત થઈ જશે. 
 
5. પથરી એટલે કે સ્ટોન થતાં, સિંધાલૂણ અને લીંબૂ પાણીમાં મિક્સ કરી પીવાથી કેટલાક જ દિવસોમાં પથરી ઓળગવા લાગે છે. તેમજ સાઈનસના દુખાવાને ઓછું કરવામાં જ સિંધાલૂણ ફાયદાકારી છે. 
 
6. ડાઈબિટીજ અને અસ્થમા અને આર્થરાઈટિસના દર્દીઓ માટે સિંધાલૂણનો સેવન ખૂબ લાભકારી હોય છે. આ શરીરમાં શર્કરાના સ્તરને નિયંત્રિત રાખવામાં પણ ફાયદાકારી છે. 
 
7. અનિદ્રા થતા પર સિંધાલૂણ અસરકારી છે, તેમજ ત્વચા એઓગો અને દંત રોગોમાં પણ તેનો પ્રયોગ કરાય છે. જાડાપણું ઓછું કરવા માટે પણ સિંધાલૂણનો પ્રયોગ કરવું બેસ્ટ ઉપાય છે.