જાણીતા કવિ લેખક અને ટીમ અન્નાના સભ્ય કુમાર વિશ્વાસે પોતાની તાજી ફેસબુક પોસ્ટમાં પ્રતાપગઢના કુંડામા6 માર્યા ગયેલા ઉપાધીક્ષક જિયા ઉલ હક વિશે લખ્યુ છે અને સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચનને પૂછ્યુ છે કે શુ તેઓ લખનૌ જઈને રડશે ?
કુમાર વિશ્વાસની ફેસબુક પોસ્ટ અમે અહી રજૂ કરી રહ્યા છે.. જાણો શુ લખ્યુ છે કુમાર વિશ્વાસે ?
P.R
દિલ્હી રેપ કાંડમાં સંસદમાં ધ્રુસકે ધ્રુસકે રડનારી સમાજવાદી સાંસદ આદરણીય જયા બચ્ચનજી એક નિરંકુશ સમાજવાદી મંત્રીની ગુંડાગીરીને કારણે શહીદ DSPની પત્નીને જોઈને હવે શુ તેઓ લખનૌમાં જઈને રડશે ? કે પછી બધી સહાનુભૂતિ અને આંસૂ ફિલ્મોના અભ્યાસ રાજનૈતિક પ્રતિરૂપ માત્ર હતા ? એ જોઈને દુ:ખ થાય છે કે કેટલાક લોકો આ 'શહીદ' પર પણ હિન્દૂ-મુસ્લિમ જેવી દ્રષ્ટિથી વિચારે છે. અલ્પસંખ્યક ભાઈઓને માટે આરક્ષણના મગરમચ્છ આંસૂ વહેડાવનારા 'નેતાજી' 2014નો ફતવો કંઈ મસ્જિદમાંથી લેશે ? અફજલ પર વિધવા વિલાપ કરનારા 'માનવાધિકાર'વાળા આ વખતે ચૂપ કેમ છે ? 'આ બધા 'અર્ધ સત્ય'વાળા ક્યારે સત્યનો સાથ આપવો શરૂ કરશે ? અરે ચૂપ રહો અને બોલો તો સત્યને પુરૂ બોલો. હવે જોવાનુ એ છે કે પોતાના ભાઈની શહાદત પર સત્તાની કઠપૂતળી સમાન 'પોલીસ' સત્યની પડખે રહીને 'ચુસ્ત' થાય છે કે નહી ?