LoC પર મુઠભેડમાં 3 જવાન શહીદ, એક સૈનિકના શબ સાથે કરી બર્બરતા, આર્મીએ કહ્યુ - વળતો જવાબ આપીશુ
નિયંત્રણ રેખા પર એકવાર ફરી આતંકવાદીઓની કાયરાના હરકત સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના માછિલમાં ત્રણ ભારતીય સૈનિક શહીદ થઈ ગયા. એક જવાનના શબ સાથે બર્બરતા પણ કરવામાં આવી. આ પહેલા પણ ગયા મહિને અનેકવાર પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં સીમા પારથી ગોળીબારી કરવામાં આવી છે.
સૂત્રોના મુજબ આતંકવાદીઓની આ કાયરાના હરકતનો ભારતીય સેનાએ વળતો જવાબ આપીશુ. સેનાએ મામલાની માહિતી રક્ષા મંત્રીને આપી દીધી છે. સેનાને આ ઘટના પછી જવાબી કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યુ છે.
ઓક્ટોબરમાં પણ પાકિસ્તાને આવુ કર્યુ હતુ
ઓક્ટોબરમાં પણ એલઓસીની પાસે માછિલમાં આતંકવાદીઓએ સેનાના જવાન પર ફાયરિંગ કર્યુ હતુ. હુમલામાં સેનાના જવાન શહીદ થઈ ગયા હતા. આતંકવાદીઓએ શહીદ જવાનના શબ સાથે બર્બરતા કરી અને તેને ક્ષત-વિક્ષત કરી દીધુ હતુ. આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના બોર્ડર એક્શન ટીમનો હાથ માનવામાં આવી રહ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ બર્બરતાનો બદલો લેવાની વાત કરી હતી. સેનાએ પીએમ મોદી અને રક્ષામંત્રીને હુમલાની માહિતી આપી હતી.