શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 25 જુલાઈ 2020 (10:25 IST)

પોલીસે 17 કલાકમાં ગોંડાથી કિડનૈપ થયેલ બાળકને શોધી કાઢ્યો, ચાર કરોડની ખંડણીની માંગ, મુઠભેડમા બે બદમાશ ઘાયલ

શુક્રવારે યુપીના ગોંડા જિલ્લાના અપહરણ કરાયેલા ઉદ્યોગપતિના પૌત્રને શુક્રવારે કરનાલગંજ શહેરથી શનિવારે સવારે એન્કાઉન્ટર બાદ સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યો છે. પોલીસ અને બદમાશો વચ્ચે થયેલી એન્કાઉન્ટરમાં બે અપહરણકારો ઘાયલ થયા છે.  એસટીએફ, પોલીસ અને કિડનેપર્સની વચ્ચે મોડી રાત્રે અથડામણ થઇ. અથડામણ બાદ એક યુવતી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. કહેવાય છે કે બે આરોપીઓના પગમાં ગોળી પણ લાગી છે. કિડનેપર્સની પાસે બે બાળકોને છોડાવી લીધા છે. અપહરણકર્તાઓની પૂછપરચ્છ ચાલી રહી છે.
 
આ રીતે કર્યુ અપહરણ 
 
શુક્રવારે કરનાલગંજ નગરના મહોલ્લા ગાડી બજારમાં ટાઉન પોલીસ ચોકી પાછળના વિસ્તારમાં રહેતા ગુટખા મસાલાનો મોટો વેપારી રાજેશકુમાર ગુપ્તાનો પાંચ વર્ષનો પૌત્ર નમો ગુપ્તાને બદમાશોએ અપહરણ કરી લીધો હતો. એવું કહેવામાં આવે છે કે આરોગ્ય વિભાગના ઓળખકાર્ડને કાર દ્વારા ગળા પર લટકાવવામાં આવ્યું હતું અને કેટલાક લોકો પાડોશમાં માસ્ક વિતરણ કરવા માટે આવ્યા હતા અને એક કાગળ પર લોકોના નામ લખી રહ્યા હતા. પોળમાં સૈનિટાઈઝેશન કરાવવા અને સૈનિટાઈઝરનુ વિતરણ કરવાની લાલચ પણ આપી.  એવુ કહેવાય રહ્યુ છે કે અપરહરકારો જયારે રાજેશ ગુપ્તાના ઘર સામે પહોંચ્યા તો અપહરણકારોએ સૈનિટાઈઝર આપવાની વાત કરી અને 5 વર્ષીય બાળકને સાથે લઈને એવુ કહ્યુ કે બાળકને મોકલી આપો ગાડીમાંથી સૈનિટાઈઝર કાઢીને આપી દઈએ છીએ.  આટલુ કહીને બાળક સાથે બદમાશ નીકળ્યા અને ગાડી પાસે પહોંચતાજ બાળકને ગાડીમાં લઈને ફરાર થઈ ગયા. 
 
ખંડની માંગતા થઈ જાણકારી 
 
આ માહિતી પરિવારના લોકોને ત્યારે થઈ જ્યારે બાળકના પિતા હરિ ગુપ્તાના મોબાઈલ પર બદમાશોએ કૉલ કર્યો અને તેમને માહિતી આપી કે તમારા બાળકનુ અપહરણ થઈ ગયુ છે. ચાર કરોદ રૂપિયાની વ્યવસ્થા કરી લો. અપહરકારોમાં કોઈ મહિલા સામેલ નહોતી પણ જે ફોન આવ્યો તે એક મહિલા બોલી રહી હતી. જેમા અનુમાન લગાવવામાં આવી રહ્યુ છેકે વૉઈસ ચેંજરના માધ્યમથી અવાજને બદલીની વાત કરવામાં આવી.  હાલ ઘટનાની સૂચના મળ્યા પછી તત્કાલ ઘટનાસ્થળ પર પોલીસ અધિકારી ક્રિપા શંકર કનૌજિયા, કોટવાલ રાજનાથ સિંહ, ચોકી પ્રભારી રણજિત યાદવ પહોંચ્યા હતા. જ્યારે કર્મચારી નગરમાં શુક્રવારની નમાઝ હોવાથી તમામ પોલીસ અધિકારીઓ સતત પેટ્રોલીંગમાં હતા. શહેરમાં પોલીસ પેટ્રોલિંગ તીવ્ર બની હોવા છતાં અપહરણકારોએ આવી ઘટનાને અંજામ આપ્યો હતો. જેના કારણે શહેરમાં સનસનાટી મચી ગઈ છે