1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 23 જૂન 2018 (00:10 IST)

મની પ્લાંટ છોડો અને આ છોડને ઘરે લાવો... જલ્દી બનશો ધનવાન

દરેકની ઈચ્છા હોય છે કે તેની પાસે અપાર ધન-દોલત રહે. આ માટે તે ખૂબ મહેનત પણ કરે છે.  પણ ક્યારેક ક્યારેક ક્યારેક મહેનતનુ ફળ એટલુ નથી મળતુ જેટલુ મળવુ જોઈએ. તેથી લોકો ઘરમાં વાસ્તુ અને જ્યોતિષના  ઉપાય કરે છે. ધન વૃદ્ધિ માટે આમ તો મની પ્લાંટને લગાવવની વાત કહેવામાં આવે છે. પણ ઘણા ઓછા લોકો એ જાણે છે કે તેનાથી પણ વધુ ઉપયોગી હોય છે ક્રાસુલાનો છોડ.
 
ક્રાસુલાને મની ટ્રી પણ કહેવાય છે. ફેંગશુઈમાં તેનુ ખૂબ મહત્વ છે.  કહેવાય છે કે આ છોડ ચુંબકની જેમ પૈસાને પોતાની તરફ ખેંચે છે.  
 
આ નાનકડો મખમલી છોડ ઊંડા લીલા રંગનો હોય છે. તેના પાન પહોળા હોય છે અને તે ઘાસની જેમ ફેલાવદાર હોય છે. 
 
તેને લગાવવામાં વધુ મહેનત નથી પડતી. તેનો છોડ ખરીદીને કોઈ છોડ કે જમીનમાં લગાવી દો. પછી આ આપમેળે જ ફેલાતો રહેશે. તેને ધૂપ છાવ ક્યાય પણ લગાવી શકો છો.