ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (00:31 IST)

Chanakya Niti: આ ઘરોમાં મા લક્ષ્મી સામે ચાલીને આવે છે, તમે પણ ફોલો કરશો આ 3 વાત તો આવશે ઘરમાં બરકત

chanakya
Chanakya Niti: આચાર્ય ચાણક્યને રાજનીતિ, અર્થશાસ્ત્ર અને કૂટનીતિના નિષ્ણાત કહેવામાં આવે છે, તેમની નીતિઓ એવી છે કે જો તમે તેને તમારા જીવનમાં લઈ લો તો તમને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. આચાર્ય ચાણક્યની નીતિઓ કઠોર છે પણ કહેવાય છે કે મહેનત વગર ફળ મળતું નથી. આજે અમે તમને ચાણક્યની એક એવી નીતિ જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે અપનાવશો તો તમારા જીવનમાં ધન-સંપત્તિની કોઈ કમી નહીં આવે.
 
આચાર્ય ચાણક્યએ શ્લોકો દ્વારા તેમની નીતિ સમજાવી છે. આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે લક્ષ્મી તમારા ઘર તરફ ખેંચાઈને આવશે અને ઘરમાં સમૃદ્ધિ લાવશે. આવો જાણીએ ક્યા ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે.
 
આચાર્ય ચાણક્યના શ્લોક
 
मूर्खाः यत्र न पूज्यन्ते धान्यं यत्र सुसंचितम् ।
 
दाम्पत्योः कलहो नास्ति तत्र श्री स्वयमागता॥
 
શ્લોકનો અર્થ
મૂર્ખ લોકો પર વિશ્વાસ  ન કરશો
આ શ્લોકનો અર્થ એ છે કે મૂર્ખની વાતનું કોઈ મૂલ્ય નથી અને જ્યાં મૂર્ખની વાત માનવામાં આવતી નથી ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે  છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જે લોકો મૂર્ખની વાતો પર વિશ્વાસ કરે છે અને તેનું પાલન કરે છે તેમને સફળતા મળતી નથી. જો સફળતા જોઈએ તો મૂર્ખની સલાહ ન લો, પરંતુ વિદ્વાનોની સલાહ સાંભળો. સાચા માર્ગ પર ચાલીને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરનાર પર મા લક્ષ્મીની કૃપા રહે છે.
 
અન્નના ભંડાર ન કરશો ખાલી 
 
આચાર્ય ચાણક્ય કહે છે કે જે ઘરોમાં રસોડામાં અનાજ ક્યારેય ખતમ નથી થતું ત્યાં માતા લક્ષ્મીની કૃપા રહે છે. તેથી અનાજની ભઠ્ઠીઓ ભરતા રહો, રસોડામાં ખોરાક ખાલી થાય તે પહેલાં નવું અનાજ લાવો. તેમજ ખોરાકનો અનાદર ન કરો. આમ કરવાથી તમે અમીર હોવા છતાં પણ ગરીબ બની શકો છો