સંબંધિત સમાચાર
- આત્મદાહની કોશિશ કરનાર યુવતીનો દસ હજારમાં થયો હતો સોદો, સોળ લોકો સામે બળાત્કારનો આરોપ
- પુલવામા : વિંગ કમાંડર અભિનંદનના સ્કૉડ્રનને મળ્યું સન્માન
- મોદી સામે મમતા : 'અમે અહીં ટોપી-દાઢી સાથે છાતી પહોળી કરીને ચાલી શકીએ છીએ'
- લોકસભા ચૂંટણી 2019 : કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં પથ્થરમારો, લાઠીચાર્જ અને હોબાળો
- વિદેશી મીડિયામાં કેવી રીતે બદલાય છે મોદીની હવા
પાંચ વર્ષમાં પ્રથમ વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પત્રકાર-પરિષદ પણ બીજેપી કાર્યાલયમાંથી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી.
ખુદ અમિત શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં હાજર હોવું અમારા માટે 'આશ્ચર્ય અને આનંદ'ની વાત છે.
રવિવારે 19મી મેના દિવસે મતદાન થશે, તે પહેલાં 17મી મેના સાંજે ચૂંટણીપ્રચાર અભિયાન સમાપ્ત થશે, જેની ગણતરીની મિનિટોની પહેલાં શાહ-મોદીએ આ પત્રકાર પરિષદ સંબોધી હતી.
મોદીની પત્રકાર પરિષદ પૂર્વે શાહે ભાજપના ચૂંટણી અભિયાનની વિગતો આપી હતી. અમિત શાહે દાવો કર્યો હતો કે તેમણે 161 જનસભા અને 18 રોડ શો કર્યા છે અને કુલ એક લાખ 58 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 86 અને યોગી આદિત્યનાથે 91 સભાઓ સંબોધી હોવાનું શાહે જણાવ્યું હતું. શાહે દાવો કર્યો હતો કે 300થી વધુ બેઠક ઉપર ભાજપ વિજેતા થશે અને એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ)ની સરકાર બનશે.
મોદીએ કહ્યું હતું કે 'તેઓ મીડિયા તથા તેના માધ્યમથી દેશની જનતાનો આભાર માને છે.'