સંબંધિત સમાચાર
- ઉર્વશીએ બંગલો 190 કરોડમાં ખરીદ્યો
- Salman Khan- સલમાન ખાન થયો ઘાયલ, ફોટો કર્યો શેર
- Happy Birthday Nawazuddin Siddiqui: કેમિસ્ટથી લઈને વૉચમેન સુધી- સી ગ્રેડ ફિલ્મોમાં કર્યો કામ
- Birthday- કાજલ અગ્રવાલને આ એક્ટરએ શૂટ દરમ્યાન બળજબરીથી કિસ કરી હતી
- HBD Madhuri - સલમાન ખાનથી વધુ ફી લેવાનો મોહિનીએ બનાવ્યો હતો રેકોર્ડ, જાણો માધુરી વિશે 10 રસપ્રદ વાતો
આલિયા ભટ્ટના દાદા નરેન્દ્રનાથ રાઝદાનનું નિધન થયું છે
એક્ટ્રેસ આલિયા ભટ્ટના નાના અને સોની રાઝદાનના પિતા નરેન્દ્ર નાથ રાઝદાનનું ગુરુવારે વય સંબંધિત બિમારીઓને કારણે નિધન થયું હતું. તેઓ 94 વર્ષના હતા. સોની રાઝદાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પિતાના નિધનના સમાચાર શેર કર્યા છે. તેને "એક ઉત્સુક ગોલ્ફર, સંગીત પ્રેમી અને આપણા જીવનનો પ્રકાશ" ગણાવતા અભિનેત્રી સોની રાઝદાને લખ્યું કે તેણીનો પરિવાર ભાગ્યશાળી છે કે તેના જેવા દયાળુ અને પ્રેમાળ વ્યક્તિનો આશીર્વાદ મળ્યો.
વ્યવસાયે આર્કિટેક્ટ એવા નરેન્દ્રનાથ રાઝદાનનું તેમના 95માં જન્મદિવસના 15 દિવસ પહેલા અવસાન થયું હતું. આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના દાદાના જન્મદિવસની ઉજવણીનો એક જૂનો વીડિયો શેર કર્યો છે.