મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 17 જૂન 2020 (10:51 IST)

ગલવાનમાં ચીની સેના સાથે ઝડપમાં શહીદ જવાનોને વિક્કી કૌશલની સલામ

વિક્કી કૌશલની સલામ
એલએસી પર ચીની સેના સાથેની હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ ચીનમાં આ અથડામણમાં 43 સૈનિકો પણ માર્યા ગયા છે. જો કે, ચીન દ્વારા આની ચોખવટ થઈ નથી. ભારતીય સૈન્યને આ મોટી ખોટ પર અભિનેતા વિકી કૌશલે ટ્વિટર પર પોતાના વિચાર  લખ્યા છે.
 
વિક્કી કૌશલે ટ્વિટ કર્યું, "હું આપણા એ વીર જવાનોને સલામ કરુ છુ જે ગલવાન ઘાટીમાં બહાદુરીથી લડ્યા અને આપણા રાષ્ટ્રના ગૌરવ માટે ખુદ શહીદ થઈ ગયા.  હું તેમના પરિવારોને દિલથી સાંત્વના આપું છું. જય હિન્દ."  વિક્કીના આ ટ્વિટ પર, તમામ ચાહકોએ ગલવાન અથડામણ પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે.
 
તમામ યુઝર્સે વિકી કૌશલની ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકની તસ્વીરો, ક્લિપ્સ અને સંવાદો લખ્યા છે. ઘણા લોકો આ ઘટના પછી ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી રહ્યા છે. લોકો આ ઘટનાને ઉરી સાથે કનેક્ટ કરીને જોઈ રહ્યા છે જ્યારે ભારતે પોતાના વીરોના સ્વાભિમાનનો બદલો લીધો હતો. 
 
ઉરી અને પુલવામાંમાં ભારતને નુકશાન પહોચાડનારો દુશ્મન પણ ચીનનો દોસ્ત પાકિસ્તાન જ હતો. આ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે બદલો લીધો હતો.  ઉરીમાં થયેલ હુમલામાં ભારતના જવાન 19 જવાન શહીદ થઈ ગયા હતા.  આ હુમલો સવારે સાઢા પાંચ વાગે આતંકવાદીઓએ ઉરીમાં સ્થિત ભારતીય સેનાના બ્રિગેડ હેડકવાર્ટર પર કર્યો હતો.  આતંકવાદીઓએ 3 મિનિટમાં 17 હૈંડ ગ્રેનેડ ફેક્યા હતા.