શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 22 જુલાઈ 2021 (10:35 IST)

13 રાજ્યોમાં વધ્યા કોરોનાના કેસ ભારતમાં ત્રીજી લહેરની આશંકા

કેરળ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંઅ અને પૂર્વોત્તર રાજ્યો સાથે 13 રાજ્યોમાં કોરોના સંક્રમણના વધી રહ્યા કેસ. તેને ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાના રૂપમાં જોવાઈ રહ્યુ છે. 
ભારતમાં અત્યારે કોરોના સંક્રમણના 40 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. સંક્રમણના કેસમાં સ્થિરતાને લઈને વિશેષજ્ઞ હેરાની જાહેર કરી રહ્યા છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આંકડામાં જલ્દ જ વધારો 
જોવા મળી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર પછી કરેલ શીરો સર્વે દેશના 68 ટ્કા લોકોમાં એંટી બૉડી મળી છે. તેમાં તે લોકો પણ શામેલ છે જેને રસી લાગી ગઈ છે. રસીકરણ છતાં બ્રિટન, રશિયા સહિત અનેક દેશોમાં કોરોનાના સંક્રમણે ભારની ચિંતા વધારી છે. જો કે દેશમાં લગભગ 68 ટકા લોકો સીરો પોઝિટિવ જોવા મળ્યા છે. પરંતુ તેમ છતાં કોરોના સંક્રમણના દૈનિક મામલા એક મહિનામાં 40 હજાર પર સ્થિર છે. વિશેષજ્ઞ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આંકડા સ્થિર થયા બાદ આમા વધારો થઈ શકે છે.