સંબંધિત સમાચાર
- 486 કોલેજના 1.10 લાખ વિદ્યાર્થી 25મી જૂનથી પરીક્ષા આપશે
- લોકડાઊન દરમિયાન નાગરિકો પાસેથી MRP કરતાં વધુ કિંમત લેનાર વેપારીઓ થઇ જજો સાવધાન
- અમદાવાદથી ગુવાહાટી જતી ફ્લાઇટમાં 2 મુસાફરો કોરોના ચેપ
- કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 4531 મોત થયા, દિલ્હી-મહારાષ્ટ્ર સહિતના ટોચના 10 રાજ્યોની સ્થિતિ જાણો
- છ ફુટ સામાજિક અંતર પૂરતું નથી, કોરોના વાયરસ 20 ફુટ સુધી જઈ શકે છે: સંશોધન
વિદેશમાં ફસાયેલા 1958 ગુજરાતીઓને વતન લવાયા
કોરોના વાઇરસના સંક્રમણની વૈશ્વિક સ્થિતિમાં વિશ્વના વિવિધ દેશોમાં ફસાયેલા 1958 જેટલા ગુજરાતીઓને ‘વંદે ભારત’ મિશન હેઠળ ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, કોરોનાની મહામારીમાં અન્ય દેશોમાં અભ્યાસ કરવા ગયેલા અને ત્યાં અટવાઇ ગયેલા વિદ્યાર્થીઓને પોતાના વતનમાં પરત લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા વંદેભારત મિશન શરૂ કર્યું છે. સાથે વેપાર- વાણિજ્ય કે પ્રવાસે ગયેલા ગુજરાતી મૂળના લોકોને પણ વતન પરત લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વિશેષ ફ્લાઇટ દ્વારા યુએસએથી 135, કુવૈતથી 146, ફિલિપાઇન્સથી 155, યુકેથી 303, મલેશિયાથી 48, ઇન્ડોનેશિયાથી 38, ઓસ્ટ્રેલિયાથી 217, કેનેડાથી 176 મળીને કુલ 1958 લોકો ગુજરાત પરત ફર્યા છે. મિશનના બીજા તબક્કામાં યુએઇ, ઓમાન, કતાર, કુવૈત, યુકે અને યુએસએથી વધુ ફ્લાઇટ 29 મેથી 9 જૂન સુધીમાં આવશે, જેમાં વધુ 1869 ગુજરાતીઓ પોતાના વતનમાં પરત આવશે.
ये भी पढ़ें
