સંબંધિત સમાચાર
- એશિયા કપ પહેલા શુભમન ગિલનો થશે ફિટનેસ ટેસ્ટ, BCCI એ રોહિત અને બુમરાહ સહિત આ પ્લેયર્સને પણ બોલાવ્યા
- પાકિસ્તાની PM બોલ્યા - દુશ્મન એક ટીંપુ પણ પાણી છીનવી શકતુ નથી, એવો પાઠ ભણાવીશુ કે જીવનભર યાદ રાખશે, 48 કલાકમાં 3 PAK નેતાઓની ધમકી
- પહેલગામ હુમલાનું પાકિસ્તાન કનેક્શન, ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા આતંકવાદીના અંતિમ સંસ્કારથી ખુલ્યું રહસ્ય
- WCL ની સેમીફાઈનલમાં પાકિસ્તાન સાથે રમવાનો યુવરાજ સિંહની ટીમે કર્યો ઈનકાર, શુ એશિયા કપ પર એક્શન લેશે BCCI?
- હજુ કેટલી તક જોઈએ આ ખેલાડીને... એક વાર ફરી બધાને એકદમ કર્યા નિરાશ
પહલગામ હુમલો યાદ કરો... ભારત-પાકિસ્તાન મેચ પર શુભમ દ્વિવેદીની પત્નીનુ છલકાયુ દર્દ
india pakistan
India Pakistan Match: એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ભાજપ અને BCCI વિરોધી પક્ષોના નિશાના પર છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઘણા ક્રિકેટરો પણ આ મેચનો વિરોધ કરી રહ્યા છે. હવે પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીની પત્ની ઐશાન્યા દ્વિવેદીએ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી આ મેચ પર સવાલ ઉઠાવ્યા છે. ઐશાન્યાએ કહ્યું કે પાકિસ્તાન આ મેચની કમાણીનો ઉપયોગ આતંકવાદીઓ પર કરશે, જેઓ ફરીથી આપણા પર હુમલો કરશે. આપણે પાકિસ્તાનને તે તક કેમ આપી રહ્યા છીએ?
#WATCH | Kanpur, UP: On upcoming India vs Pakistan match in Asia Cup 2025, Aishanya Dwivedi - wife of Pahalgam terror attack victim Shubham Dwivedi, says, "BCCI should not have accepted a match between India and Pakistan...I think BCCI is not sentimental towards those 26… pic.twitter.com/1tAu9wjqSo
— ANI (@ANI) September 13, 2025
BCCI એ 26 પરિવારોને ભૂલી ગયું...
એશિયા કપ 2025માં યોજાનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ પર, પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીની પત્ની ઐશાન્યા દ્વિવેદીએ કહ્યું, 'BCCI એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સ્વીકારવી જોઈતી ન હતી. મને લાગે છે કે BCCI એ 26 પરિવારો પ્રત્યે લાગણીશીલ નથી. તેઓ પહેલગામ અને પછી ઓપરેશન સિંદૂરમાં આપણને થયેલા નુકસાનને ભૂલી ગયા છે. હું આપણા ક્રિકેટરોને પણ પૂછવા માંગુ છું કે તેઓ આવું કેમ કરી રહ્યા છે? તેઓ પાકિસ્તાન ટીમ સાથે રમવા માટે કેમ તૈયાર છે?
ક્રિકેટરો વિરોધ કેમ નથી કરી રહ્યા?
ઐશ્ન્યા દ્વિવેદીએ કહ્યું, 'એવું કહેવાય છે કે ક્રિકેટરો દેશભક્ત હોય છે. દેશભક્તિની આ ભાવનાને કારણે, રાષ્ટ્રીય રમત હોકી કરતાં વધુ લોકો ક્રિકેટ જોવાનું અને રમવાનું પસંદ કરે છે. પરંતુ 1-2 ક્રિકેટરો સિવાય, કોઈએ આગળ આવીને કહ્યું નહીં કે આપણે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવો જોઈએ. BCCI તેમને બંદૂકની અણીએ રમવા માટે દબાણ કરી શકતું નથી. તેમણે પોતાના દેશ માટે ઊભા રહેવું જોઈએ. પરંતુ તેઓ એવું નથી કરી રહ્યા. હું મેચના પ્રાયોજકો અને પ્રસારણકર્તાઓને પૂછવા માંગુ છું કે શું તેમની તે 26 પરિવારો પ્રત્યે કોઈ ફરજ નથી.'
