1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : ગુરુવાર, 9 નવેમ્બર 2023 (13:44 IST)

ધનતેરસના દિવસે ખરીદી કરી રહ્યા છો તો ભૂલીને પણ આ વસ્તુ ન ખરીદવી અને આ કામ ન કરવું

dhanteras 2023 puja muhurat
માટી કે ચાંદીની મૂર્તિઓ શુભ માનવામાં આવે છે, તેથી કાચ કે પીઓપીની મૂર્તિઓની પૂજા ન કરવી.
 
આ દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાનો તહેવાર છે, તેથી ઘરના પ્રવેશદ્વાર પર ચંપલ અને ચપ્પલ ન રાખો.
 
એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ન તો પૈસા ઉછીના લેવા જોઈએ અને ન ઉધાર આપવા જોઈએ.
 
પૂજાની વિધિ ખુશીથી કરવી જોઈએ જેથી ઘરમાં નકારાત્મક વિચારો ન ફેલાય.
દિવસ દરમિયાન માંસાહારી ખોરાક ટાળો.
 
ધનતેરસના દિવસે ન તો કોઈને ઉધાર આપો અને ન લો. આ દિવસે લોન લેનાર અને ધિરાણ આપનાર બંનેને નાણાંની અછતનો સામનો કરવો પડે છે.
 
આ વસ્તુઓ ન ખરીદવી
- આ દિવસે તેલથી બનાવેલી કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ નહીં. ધનતેરસના દિવસે તેલ, ઘી, રિફાઈન્ડ ઘરમાં લાવવું નહી. ધનતેરસ પર દીવા પ્રગટાવવા માટે પણ તેલની જરૂર પડે છે એટલે આ વસ્તું પહેલાથી જ ખરીદી લેવી.
- આ દિવસે કાળા રંગની વસ્તુઓની ખરીદીથી બચવું જોઈએ. એને શુભ નહીં ગણાય.
- કાચનો સંબંધ રાહુ સાથે છે, એટલે ધનતેરસના દિવસે કાચની ખરીદી કરવી નહીં.
- એલ્યુમિનિયમના વાસણ ધનતેરસ પર ખરીદવાનું અશુભ ગણાય છે. કારણકે ધાતુ પર રાહુનું પ્રભુત્વ છે. અને લગભગ બધા શુભ ગ્રહ એનાથી પ્રભાવિત થાય છે. આ દિવસે છરી, કાતર અથવા લોખંડની વસ્તુ ખરીદવી નહીં.
- ધનતેરસ પર લોખંડથી બનેલી વસ્તુઓ ઘરમાં લાવવી નહીં. જોકે કોઈ વાસણ ખરીદી રહ્યા છે તો, ઘરમાં લાવવા પહેલા એને પાણી અથવા કોઈ બીજી વસ્તુથી ભરી લેવી. સ્ટીલ પણ લોખંડનુ બીજો રૂપ છે એટલે સ્ટીલના વાસણ પણ ધનતેરસના દિવસે ખરીદવા નહીં. સ્ટીલના બદલે કૉપર અથવા બ્રૉન્ઝના વાસણ ખરીદવા જોઈએ.