શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (10:51 IST)

Dhanteras 2022- ધનતેરસના દિવસે સોનું-ચાંદી નહીં પણ આ વસ્તુઓ પણ છે શુભ

Dhanters 2022- આ વર્ષે ધનતેરસ 23 ઓક્ટોબરે છે અને દિવાળી 24 ઓક્ટોબરે ઉજવાશે. આમ તો, દર વર્ષે ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે તારીખોના સંયોગને કારણે દિવાળી ધનતેરસના બીજા દિવસે એટલે કે નરક ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવશે. ધનતેરસના આ દિવસે ભગવાન ધનવંતરી અને દેવી લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ પર ખરીદી માટે ભારે ઉત્તેજના જોવા મળે છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ હોય છે. આ દિવસે જે પણ વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે તેમાં તેર ગણો વધારો થાય છે, તેથી લોકો ધનતેરસના દિવસે વાહનોમાંથી સોના, ચાંદી અને વાસણોની ખરીદી કરે છે. આજકાલ વધતી જતી મોંઘવારીને કારણે દરેક વ્યક્તિ માટે સોનું, ચાંદી કે વાહન ખરીદવું શક્ય નથી. પરંતુ સોના-ચાંદી સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે, જે માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તમે તેને ધનતેરસના દિવસે ખરીદી શકો છો.
 
ધનતેરસના દિવસે ખરીદવી ઝાડૂ 
હિંદુ ધર્મમાં ઝાડૂનો સંબંધ માતા લક્ષ્મીથી ગણાય છે તેથી ધનતેરસના દિવસે ઘરમાં નવી ઝાડૂ લાવવી પણ સારું ગણાય છે. આ ધનતેરસ જો તમે સોના-ચાંદી નથી ખરીદી શકી રહ્યા છો તો ઝાડૂ જરૂર ખરીદીને લાવો. 
 
પીતળના વાસણ 
ધનતેરસના દિવસે પીતળ ધાતુ ખરીદવી ખૂબ શુભ ગણાય છે. તેનાથે તમારા ધરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથનથી ધનવંતરિ દેવ પ્રકટ થયા હતા, તો તેમના હાથમા અમૃત કળશ હતુ. ધાર્મિક માન્યતા છે કે કળ શ પીતળની ધાતુનો હતું. તેથી પીતળ ધનવંતરિ દેવની ધાતુ ગણાય છે. 
 
ગોમતી ચક્ર કહેવાય છે કે ગોમતી ચક્ર માતા લક્ષ્મીને પ્રિય છે. ધનતેરસના દિવસે ખરીદીને લાવો અને સાંજે માતા લક્ષ્મીની પૂજા કરતા સમયે ગોમતી ચક્રની પણ પૂજા કરવી. ત્યારબાદ તેણે ધન સ્થાન પર રાખી દો. માન્યતા છે કે તેનાથી તમારિ ધન સ્થાન હમેશા રૂપિયા-પૈસાથી ભરેલુ રહે છે. 
 
આખા ધાણા 
ધનતેરસના દિવસે ધાણા ખરીદવુ ખૂબ શુભ ગણાય છે. ધનતેરસના દિવસે આખા ધાણા લઈને માતા લક્ષ્મીને અર્પિત કરો. પછી તેને તમારા ઘરના તેને બગીચામાં, ખેતરમાં કે વાસણમાં વાવો. એવું માનવામાં આવે છે કે આના કારણે આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં કોઈ કમી નહીં આવે. 
Edited BY -Monica Sahu