સંબંધિત સમાચાર
- Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી
- Exam Tips- 90 ટકા માર્ક્સ લાવવા માટે શું કરવુ જોઈએ
- IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર
- ગુજરાતી જોક્સ - જીજા - સાળી
- IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર
સરકાર લાવી રહી છે નવું PAN કાર્ડ, કરદાતાઓ પર શું થશે અસર
PAN 2.0 પ્રોજેક્ટને 25 નવેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ કરદાતાઓના અનુભવને ડિજિટલી બહેતર અને ઝડપી બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
PAN 2.0: નવી પહેલ શું છે?
PAN 2.0 પ્રોજેક્ટ એ આવકવેરા વિભાગનો ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ છે, જે PAN અને TAN સેવાઓને એકીકૃત અને પેપરલેસ બનાવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય PAN કાર્ડ જારી કરવાની, અપડેટ કરવાની અને સુધારવાની પ્રક્રિયાને વધુ તકનીકી રીતે કાર્યક્ષમ અને સરળ બનાવવાનો છે.
યુનિફાઇડ પોર્ટલ પર તમામ સેવાઓ:
હવે ત્રણ અલગ-અલગ પોર્ટલને બદલે PAN સંબંધિત તમામ સેવાઓ એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થશે. તેમાં PAN એલોટમેન્ટ, અપડેટ, કરેક્શન, આધાર-PAN લિંકિંગ, e-PAN વિનંતી અને ઓનલાઈન PAN વેરિફિકેશન જેવી સુવિધાઓ સામેલ હશે.
