મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2024 (09:52 IST)

સરકાર લાવી રહી છે નવું PAN કાર્ડ, કરદાતાઓ પર શું થશે અસર

PAN 2.0
PAN 2.0 પ્રોજેક્ટને 25 નવેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ કરદાતાઓના અનુભવને ડિજિટલી બહેતર અને ઝડપી બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
 
PAN 2.0: નવી પહેલ શું છે?
PAN 2.0 પ્રોજેક્ટ એ આવકવેરા વિભાગનો ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ છે, જે PAN અને TAN સેવાઓને એકીકૃત અને પેપરલેસ બનાવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય PAN કાર્ડ જારી કરવાની, અપડેટ કરવાની અને સુધારવાની પ્રક્રિયાને વધુ તકનીકી રીતે કાર્યક્ષમ અને સરળ બનાવવાનો છે.
 
યુનિફાઇડ પોર્ટલ પર તમામ સેવાઓ:
હવે ત્રણ અલગ-અલગ પોર્ટલને બદલે PAN સંબંધિત તમામ સેવાઓ એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થશે. તેમાં PAN એલોટમેન્ટ, અપડેટ, કરેક્શન, આધાર-PAN લિંકિંગ, e-PAN વિનંતી અને ઓનલાઈન PAN વેરિફિકેશન જેવી સુવિધાઓ સામેલ હશે.