શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 8 નવેમ્બર 2022 (13:16 IST)

Demonetisation: નોટબંધીના 6 વર્ષ ભૂલ્યા તો નથી ના તમે 500-1000ના આ નોટ, બેંકની બહાર લંબી લાઈન

Six Years Of Demonetisation: 8 નવેમ્બરએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંદીની જાહેરાત કરી હતી. જે પછી તે દિવસે અડધી રાત્રેથી 500 અને 1000 ના નોટ ચલણથી બહાર કરી દીધા હતા. તે પછી દેશમાં ઘણા મહીના સુધી અફરા-તરફીનો માહોલ હતો.
 
Six years of Demonetisation: આજે 8 નવેમ્બર છે આ તારીખ દેશમાં એક મોટા નિર્ણય અને ફેરફારની સાક્ષી છે. હકીકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છ વર્ષ પહેલા 8 નવેમ્બરે 2016ને દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. તે પછી તે દિવસે અડધી રાત્રેથી જ 500-1000ના નોટ ચરણ ભારતમાં બેન થઈ ગયા હતા અને આ ચલણથી બહાર કરી નાખ્યા હતા. સરકારએ આ નિર્ણયથી દેશમાં ખૂબ ઉથલ-પાથલ થઈ, પણ પછી નવા નોટ કરેંસી માર્કેટનો ભાગ બન્યા. આવો પાંચા ખા વાતથી જાણીએ નોટબંધી પછી આ છ વર્ષમાં કેટલા ફેરફાર જોવા મળ્યા છે? 
 
ચલણમાં આવ્યા 2000,500 અને 200 ના નવા નોટ 
ભલે જ દેશમાં સૌથી વધારે ઉપયોગ થતા 500 અને 1000ના નોટ અચાનક ચલણથી બહાર થઈ ગયા અને જેના કારણે તેમની જગ્યા  2000, 500 અને 200ના નવા નોટએ લઈ લીધી. શરૂઆતી સમયમાં થોડી શિથિલતા પછી દેશમાં નોટોના ચલણ વર્ષોવર્ષ ફરીથી વધવા લાગ્યા. નોટબંધીના છ વર્ષ પછી દેશમાં કરેંસી નોટના ચલણમાં કરેંસી નોટના ચલણમાં ખાસી તીવ્રતા જોવા મળી રહી છે.  હવે દેશમાં કેશ સર્કુલેશન આશરે 72 ટકા વધી ગયો છે. પણ નોટબંધી જેવા નિર્ણયથી લાગેલા આંચકાથી ઉપર આવવામાં ડિજીટલ પેમેંટ કે કેશલેશ પેમેંટમાં તીવ્રતા આવી. જે કોરોનાકાળથી વધુ વધ્યો છે. 
 
નોટબંધીનુ લક્ષ્ય મળ્યો? 
ભારતીય રિઝર્વ બેંક (RBI) ના આંકડા મુજબ આશરે આખુ પૈસા (99%થી વધારે) જે અમાન્ય થઈ ગયો હતો. બેકિંગ સિસ્ટમમાં પરત આવી ગયો. 15.41 લાખ કરોડ રૂપિયાના જે નોટ અમાન્ય થઈ ગયા તેમાંથી 15.31 લાખ કરો રૂપિયા નોટ પરત આવી ગયા. સરકારને આશા હતી કે માત્ર ડિમોનેટાઈજેશનથી બેંકિંગ પ્રણાલીની બહાર ઓછામાં ઓછા 3-4 લાખ કરોડ રૂપિયા કાળો ધન છે કે ખત્મ થઈ જશે. પણ આ સરકારની આશા પર ખરો નથી ઠરાયો. 
 
નોટબંધી પછી કેટલો કાળો ધન મળ્યો? 
તેનો અંદાજો કરવો મુશ્કેલ છે કે નોટબંદી પછી કેટલો કાળો ધન મળ્યો હતો. પણ ફેબ્રુઆરી 2019માં તત્કાલીન નાણામંત્રી પીયૂષ ગોયલએ સંસદને જણાવ્યો હતો કે ડિમોનેટાજેશન સાથે જુદા-જુદા કાળા ધન વિરોધી ઉપાયોથી 1.3 લાખ કરોડ રૂપિયા કાળા ધનની રિકવરી થઈ છે. તેમજ RBI ના પૂર્વ ગર્વનર રધુરામ રાજનએ તેમની પુસ્તક આઈ ડૂ વ્હાઈટ આઈ ડૂમાં ખુલાસો કર્યો હતો જે તેણે ક્યારે પણ નોટબંધીનુ સમર્થન નથી કર્યો. 
 
500 અને 2000ના 6,849 કરોડ નોટ છપાયા 
RBI એ 2016 થી લઈને અત્યાર સુધી 500 અને 2000ના કુળ 6,849 કરોડ નોટ છાપ્યા. તેમાંથી 1,680 કરોડથી વધારે કરંસી નોટ સર્કુલેશનથી દૂર છે. આ દૂર નોટની વેલ્યુ 9.21 લાખ કરોડ રૂપિયા છે. આ દૂર નોટમાં તે નોટ શામેલ નથી જેન ખરાબ થઈ ગયા પછી RBI એ નષ્ટ કરી નાખ્યો. 
 
ડિજીટલ ટ્રાંજેકશન તીવ્રતાથી વધ્યો 
નોટબંધી પછી દેશમાં ડિજીટલ ટ્રાંસજેકશન તીવ્રતાથી વધ્યો છે. તે સિવાય 342 જીલ્લામાં કરેલ સર્વના મુજબ 76% લોકો કરિયાણા, રેસ્ટોરેંટનુ બિલ અને ફૂડ ડિલીવરીની ચૂકવણી રોકડમાં કરે છે. તે સિવાય નોટબંધી પછી અત્યાર સુધી પબ્લિકની પાસે કેશ હોલ્ડિંગ દોઢ ગણુથી વધારે થઈ ગઈ છે. 
(Edited By -Monica Sahu)