1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
  4. Gauri Vrat Nibandh

ગૌરી વ્રત વિશે નિબંધ

Gauri Vrat
ગૌરી વ્રત, જેને ગુજરાતમાં મોળાકત તરીકે પણ ઓળખવામાં આવે છે, એ અષાઢ સુદ અગિયારસથી શરૂ થતું પાંચ દિવસનું પવિત્ર વ્રત છે. ખાસ કરીને કુંવારી કન્યાઓ દ્વારા કરવામાં આવતા આ વ્રતમાં માતા ગૌરી એટલે કે માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી કન્યાઓને સારો અને મનગમતો જીવનસાથી મળે છે.

વ્રતની વિધિ અને નિયમો:

ગૌરી વ્રત કુલ પાંચ દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન વ્રત કરનાર કન્યાઓ અલૂણું ભોજન કરે છે, એટલે કે ભોજનમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આને સામાન્ય રીતે ‘એકટાણું’ તરીકે ઓળખવામાં આવે છે.
 
ગૌરી વ્રતમાં જ્વારા વાવવાનું પણ વિશેષ મહત્વ છે. કન્યાઓ ઘઉં અથવા અન્ય અનાજના જ્વારા વાવે છે અને દરરોજ તેની પૂજા કરે છે. સવારે સ્નાન કર્યા બાદ જ્વારાની પૂજા કરી માતા ગૌરી અને ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે.
 

જાગરણ અને ઉજવણી: પાંચમા દિવસે જાગરણ

ગૌરી વ્રતના પાંચમા દિવસે કન્યાઓ જાગરણ કરે છે. રાત્રે ભક્તિ ગીતો ગાઈને, ભજન કરીને અને શિવ-પાર્વતીની આરાધના કરીને તેઓ આખી રાત જાગે છે.
આગળના દિવસે સવારે જ્વારાનું નદી, તળાવ અથવા અન્ય પવિત્ર જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારબાદ કન્યાઓ મીઠું ખાઈને વ્રતના પારણાં કરે છે.
 
 
પાંચ વર્ષ સુધી કરવાની પરંપરા
 
પરંપરા મુજબ ગૌરી વ્રત સતત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે. પાંચમા વર્ષે વ્રતનું ઉદ્યાપન કરવામાં આવે છે. આ પ્રસંગે પરિવાર દ્વારા વિશેષ પૂજા અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે.
 
ઉપસંહાર:
 
ગૌરી વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે કન્યાઓમાં શ્રદ્ધા, સંયમ, ધીરજ અને સંસ્કારો વિકસાવતી પરંપરા પણ છે. માતા પાર્વતીને આદર્શ માનીને કન્યાઓ પોતાના ભાવિ જીવન માટે સુખ, સમૃદ્ધિ અને સારા જીવનસાથીની પ્રાર્થના કરે છે.
 
આ રીતે ગૌરી વ્રત ગુજરાતની સમૃદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે આજે પણ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
આગળનો લેખ
શરીરનાં સોજા બની રહ્યા છે બિમારીઓનું જડ ? ડોકટર પાસેથી જાણો સોજા ઘટાડવાના કુદરતી ઉપાયો