ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગી, 15 નવજાત બાળકોના મોત; AC નુ કોમ્પ્રેસર ફાટ્યુ
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પીઆઈએમએસ હોસ્પિટલમાં આગ લાગવાથી પંદર નવજાત બાળકોના મોત થયા. આ અકસ્માત એસી કોમ્પ્રેસર વિસ્ફોટને કારણે થયો હતો.
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં 26 ઓગસ્ટ, બુધવારે સવારે એક ભયંકર અકસ્માત થયો. હોસ્પિટલમાં આગ લાગવાથી આશરે 15 નવજાત બાળકોના મોત થયા.
આ ઘટના પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (પીઆઈએમએસ) ના ગાયનેકોલોજી વોર્ડમાં બની. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલની નર્સરીમાં એર-કન્ડિશનર (એસી) કોમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હતી.
ફક્ત એક બાળક બચી ગયું.
પીઆઈએમએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના સમયે નર્સરીમાં 16 નવજાત બાળકો હતા, જેમાંથી 15નું મોત થયું. ફક્ત એક બાળકને બચાવી શકાયું.
આગની જાણ થતાં તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ગાયનેકોલોજી વોર્ડમાંથી નવજાત શિશુઓને બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનામાં 16 બાળકોમાંથી ફક્ત એક નવજાત શિશુ બચી ગયું.
બચાવ અધિકારીઓએ વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આગ બુઝાઈ ગઈ છે અને ટીમો ઘટનાસ્થળે કુલિંગ ઓપરેશન ચલાવી રહી છે.
