1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 12 ફેબ્રુઆરી 2023 (15:41 IST)

ભારતે તુર્કીમાં રાહતસામગ્રી લઈને મોકલ્યું સાતમું માલવાહક વિમાન

ભારતે ભૂકંપથી ભયંકર રીતે પ્રભાવિત તુર્કીમાં રાહતસામગ્રી સાથેનું વધુ એક માલવાહક વિમાન રવાના કર્યું છે.
 
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટર પર લખ્યું કે "ઑપરેશન દોસ્તની સાતમી ઉડાન રાહતસામગ્રી લઈને તુર્કીના અદાના ઍરપૉર્ટ પહોંચી છે. તેમાં પેશેન્ટ મૉનિટર, ઈસીજી, સિરિંજ પંપ જેવાં મેડિકલ ઉપકરણ અને આપદા રાહતસામગ્રી છે."
 
તેમણે એમ પણ કહ્યું કે તેમાં ભારતમાંથી ગયેલા રાહત અને બચાવકર્મીઓ માટે પણ સામાન મોકલ્યો છે.
 
આ બધી સામગ્રી બોઇંગના માલવાહક વિમાન ગ્લોબમાસ્ટર સી-17થી મોકલાઈ છે.