મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે મંગળવારે રાજસ્થાનના ઉદયપુરમાં નગર પરિષદ આયોજિત ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ સ્વ. સુંદરસિંહજી ભંડારીની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાંજે ઉદયપુર ગુજરાતી સમાજ દ્વારા આયોજિત સન્માન સમારોહના મુખ્ય અતિથિ તરીકે નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેશે અને ઉદયપુર ગુજરાતી સમાજના નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી કરશે.