1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2025
  4. what will happen if MI vs Dc match gets washed out

MI vs DC મેચ પર છવાયા સંકટના વાદળ, વરસાદને કારણે રદ્દ થયો મુકાબલો તો આ ટીમને થશે નુકશાન

rain in wankhede staduim
rain in wankhede staduim
IPL 2025 નો 63મો મુકાબલો  મુંબઈ ઈંડિયંસ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે MI ના હોમગ્રાઉંડ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે વેધર રિપોર્ટ મુજબ આમેચ પર વરસાદી સંકટ મંડરાય રહ્યુ છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈમાં થોડા દિવસો સુધી ભારે વરસાદની શક્યતા છે. પ્લેઓફને ધ્યાનમાં રાખીને મુંબઈ અને દિલ્હી બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ, આ ત્રણેય ટીમો પ્લેઓફમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે, જ્યારે ચોથા સ્થાન માટે મુંબઈ અને દિલ્હી વચ્ચે સ્પર્ધા ચાલુ છે. મુંબઈનું હવામાન જોઈને ફેંસના મનમાં એક પ્રશ્ન વારંવાર આવી રહ્યો છે. પ્રશ્ન એ છે કે જો વરસાદને કારણે MI vs DC મેચ રદ થાય છે તો કઈ ટીમને ફાયદો થશે. તો ચાલો તમારા માટે આ પ્રશ્નનો જવાબ આપીએ.
 
જો વરસાદને કારણે MI vs DC મેચ રદ થાય તો શું થશે?
જો આપણે IPL 2025 ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 12 મેચમાં 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. દિલ્હીની વાત કરીએ તો, તેઓએ અત્યાર સુધીમાં 12 મેચ રમી છે, પરંતુ તેમના ખાતામાં 13 પોઈન્ટ છે અને તેઓ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. જો 21 મેના રોજ મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાનારી મેચ વરસાદને કારણે રદ થાય છે, તો બંને ટીમો વચ્ચે એક-એક પોઈન્ટ વહેંચવામાં આવશે. આનાથી મુંબઈને ફાયદો થશે, તેમના ખાતામાં 15 પોઈન્ટ થશે અને દિલ્હી પાસે 14 પોઈન્ટ બાકી રહેશે. પછી બંનેએ પ્લેઓફ માટે તેમની છેલ્લી મેચના પરિણામ પર આધાર રાખવો પડશે, આવી સ્થિતિમાં દિલ્હી ઇચ્છશે નહીં કે વરસાદને કારણે આ મેચ રદ થાય.

 
મેચ રદ થયા પછી, પ્લેઓફ સમીકરણ કંઈક આના જેવું હોઈ શકે છે
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ બંનેએ પોતાની છેલ્લી લીગ મેચ પંજાબ કિંગ્સ સામે રમવાની છે. MI vs DC મેચ રદ થયા પછી જો દિલ્હી તેમની આગામી મેચમાં પંજાબ કિંગ્સને હરાવે તો પણ પ્લેઓફમાં તેમનું સ્થાન નિશ્ચિત થશે નહીં. તે મેચ પછી, દિલ્હીએ આશા રાખવી પડશે કે મુંબઈ પંજાબ સામે તેની છેલ્લી લીગ મેચ હારી જાય, તો જ તેઓ પ્લેઓફમાં પહોંચી શકશે.

મેચ રદ થયા પછી, જો દિલ્હી પંજાબ સામે હારનો સામનો કરે છે, તો તેમની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને મુંબઈને પ્લેઓફની ટિકિટ મળશે. જો મુંબઈ અને પંજાબ બંને પોતાની છેલ્લી લીગ મેચમાં પંજાબ સામે જીત મેળવવામાં સફળ રહે છે, તો મુંબઈ 17 પોઈન્ટ સાથે ટોપ-4માં પહોંચી જશે, જ્યારે દિલ્હીની ટીમ 16 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને તેમનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન ફરી એકવાર ચકનાચૂર થઈ જશે. એકંદરે, જો વરસાદને કારણે મેચ રદ થાય છે તો તે દિલ્હી કેપિટલ્સ માટે નુકસાન અને મુંબઈ ઇન્ડિયન્સ માટે ફાયદાકારક રહેશે.
 
ये भी पढ़ें
25000 હજાર મહિલાઓ.. ઓપરેશન સિંદૂર પછી PM મોદીનુ સૌથી મોટુ સ્વાગત, ડબલ રોડ શો સાથે ભુજમાં રેલી